કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકારી ગાઈડલાઈન્સને અનુસરીને, ખોટા ખર્ચાથી બચી, ખર્ચમાં કરકસર કરી, અનેક પરિવારો આજની કાળઝાળ મોંઘવારીમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા આગળ આવ્યા છે. જન્મદિવસની સાદગીભરી ઉજવણી સાથે બીજાને મદદરૂપ બનવાની અંતરની ભાવનાંઓ પ્રગટ થઇ છે.
કેનવી શૈલેષ શાહ, લીનાબેન નરેશભાઈ સતરા, રાજુલ ગીરીશભાઈ છેડા, ધીરેનભાઈ લક્ષ્મીકાંત શાહ, તરંગ વિશાલ લાલકા, પ્રકાશભાઈ સાકરચંદ શાહ, આરતીબેન અરૂણભાઈ ચૌહાણ, આગમવિનોદ મહેતા, ગોવિંદભાઈ વિશ્રામખોખાણી, ઉર્વીબેન નીરવ મહેતા, કરણભાઈ ખીમજી ભાનુશાલી વિગેરેએ પરિવાર સાથે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. મોટા ખર્ચા કરી પોતાનાં જન્મદિવસ ઉજવવાનાં બદલે જન્મદિને જરૂરતમંદ લોકોને ભોજન કરાવી, માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી, વૃદ્ધ વડીલોને ભોજન કરાવી, રંક બાળકોને જમાડી, ભૂખ્યાને ભોજન કરાવી આવા પરિવારોએ દીન દુઃખીયા લોકોનાં આંસુ લુછી સાચા અર્થમાં જન્મદિન ઉજવણીને સાર્થક બનાવી કોરોના સંકટમાં જરૂરતમંદ લોકોને મદદરૂપ બન્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, શંભુલાલ જોષી, મુરજીભાઈ ઠક્કર, રફીક બાવા, જેરામસુતાર, કનૈયાલાલ અબોટી, આનંદરાયસોની, દિપેશ શાહ, પરેશ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, પ્રવિણ ભદ્રા નિતીન ઠક્કર,દિપક જાનીએ જન્મદિનની અનોખી ઉજવણી કરનાર સર્વે પરિવારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.