રોગચાળા સામે સાવધાની રૂપે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જીલ્લા આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રઘુવંશીનગર મહિલા મંડળ ભુજનાં સહકારથી વર્ષાઋતુ દરમ્યાન થતા સંભવિત રોગો નિવારણ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ ઉમેદનગર શાળા નં. 10 મધ્યે યોજાયો હતો.

પ્રારંભે ડો. પ્રતિક્ષાબેન પવાર, માનવજ્યોત નાં પ્રબોધ મુનવર, રઘુવંશીનગર મહિલા મંડળનાં પ્રમુખ માલાબેન જોષી,રલાબેન ગોસ્વામી, સેજલબા ઝાલા તથા ઝંખનાબા પરમારે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો.

ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી 180 બાળકોનું સ્વાસ્થ્ય ચેક કર્યું હતું. કેમ્પ સ્થળે બાળકોને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ.

સમગ્ર વ્યવસ્થા શાળાના આચાર્ય યોગેશભાઇ જરદોસ, રૂપલબેન મહેતા, ભારતીબેન પિંડોરીયા, મીક્ષાબેન પેથાણી, હીનાબેન ભારદીયા તથા ઇલાબેન વૈષ્ણવે સંભાળી હતી.