મધ્યપ્રદેશનાં બે ભાઇઓનું 35 વર્ષ પછી થયું મિલનચિંતા માં માતા-પિતા મૃત્યુ પામ્યા, પત્નીએ બીજા લગ્ન કરી લીધા.ઘરેથી નીકળ્યો ત્યારે 30 વર્ષનો હતો. આજે તે 65 વર્ષનો થઇ ચુકયો છે.

મધ્યપ્રદેશના રિવા જીલ્લાનાં દેવરા ગામનો યુવાન રામનાથ હનુમાનપ્રસાદ કુશવાહા ઉ.વ. 30 ગુમ થતાં તેનાં પરિવારજનોએ સતત પાંચ વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી. કયાં પણ તેનાં કોઇ ખબર-અંતર ન મળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા.

તે વિવિધ રાજ્યોનાં અનેક શહેરો-ગામડાંઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. કયાંક ખાવા તો કયાંક સૂવા નમળ્યું. અનેક મુશ્કેલીઓ વેઠતો છેલ્લે તે એકાદ મહિનાં પહેલા સૌરાષ્ટ્રનાં સોમનાથનાં “નિરાધારનો આધાર માનવસેવા ટ્રસ્ટ,, મધ્યે પહોંચ્યો હતો. ત્યાંની સંસ્થાનાં સંચાલકો જનકભાઇ તથા ધ્રુવભાઇ સોલંકી તથા સ્ટાફ સર્વેએ તેની ખૂબ સારી સેવા કરી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયેર પ્રબોધ મુનવરના માર્ગદર્શન માનવજ્યોત
સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે રામનાથ કુશવાહાને સાથે ભુજ લઇ આવ્યા. પાલારા આશ્રમ સ્થળે તે માત્ર 21 દિવસનો મહેમાન બન્યો. મધ્યપ્રદેશનાં રિવા જીલ્લાની પોલીસની મદદથી તેનું ગામ-પરિવાર શોધી કઢાયા. સમાચાર મળતાં જ પરિવારજનોએ
વીડીયો કોલ કરી ખાત્રી મેળવી. સાડાત્રણ દાયકા જેટલો સમય વીતી ગયો હોઇ ઓળખ થવી મુશ્કેલ કાર્ય હતું. પણ સમાચાર મળતાં જ તેનાં ભાઇ શ્યામલાલ કુશવાહા અને તેમનાં મિત્રો ભુજ આવી પહોંચ્યા હતા. બંને ભાઇઓનું 35 વર્ષે મિલન થતાં બંને એકબીજાને ભેટી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અને બંને બાઇઓની આંખો અશ્રુભીની બની હતી. પણ ભાઇ-ભાઇ
વચ્ચે 35 વર્ષ પછી ઓળખ કરાવવી મુશ્કેલ બન્યું હતું. તેનાં નાના ભાઇએ 35 પ્રશ્ર્નો પૂછતાં મોટા ભાઇએ 35 પ્રશ્ર્નોનાં લેખિતમાં સાચા જવાબો આપ્યા. દરેક સગા-સંબંધી તથા મિત્રો- સાસરાપક્ષ દરેકનાં ગામો નામો પૂછતાં સાચા નામો લખતાં તેમજ રામનાથને બચપણમાં માથામાં વાગેલો ઘા ચેક કરતાં માથામાં નિશાન મળતાં જ બંને ભાઇઓ અને મિત્રો ભારે રુદન
સાથે એક બીજાને ભેટી પડ્યા હતા.

તેનાં નાનાભાઇનાં જણાવ્યા મુજબ રામનાથનાં ઘર છોડવાની ઘટનાથી ચિંતિત માતા- પિતા મૃત્યુ પામ્યા. તેની પત્નીને બાળક અવતરે તેના ચાર દિવસ પહેલાં તેણે ઘર છોડ્યું હતું.

જેથી પોતાની દીકરીનું મોઢું પણ તેણે જોયું નહીં. દીકરીની સારસંભાળ તેના કાકા શ્યામલાલ કુશવાહા એ લીધી. તેની પત્ની તેના ઘર છોડ્યા પછી થોડા વર્ષો સુધી તેની રાહ જોયા પછી બીજા લગ્ન કરી લીધા. દીકરીની જવાબદારી લેનાર કાકા શ્યામલાલે દીકરીનો લગ્ન પ્રસંગ પૂરો પાડ્યો.

આજે સાડાત્રણ દાયક પછી રામનાથ મળી આવતા પરિવારજનો ખુશખુશાલ છે. પરિવારની ખુશી બેવડાઇ છે. રામનાથ કુસ્વા ઘરેથી નીકળ્યો ત્યારે 30 વર્ષનો હતો. આજે તે 65 વર્ષનો થઇ ચુકયો છે.

માનવજ્યોત સંસ્થા ભુજને મોટી સફળતા મળી હતી. અગાઉ 33 વર્ષથી ગુમ પુરુષનું ઘર જયારે આજે 35 વર્ષથી ગુમ પુરુષનું ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા.

અગાઉ પચ્ચીસ વર્ષથી ગુમ-30 મહિલા પુરુષ તથા દશ,પંદર, વીશ વર્ષથી ગુમ 258 મહિલા-પુરુષો ને માનવજ્યોત સંસ્થાએ શોધી આપતાં પરિવારજનો ખુશ-ખુશાલ બન્યા હતા.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, ઇરફાન લાખા સહભાગી બન્યા હતા. પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો.