૧૦૦ વૃદ્ધ વડીલોનાં ઘરે સૂકો નાસ્તો પહોંચ્યો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ભુજ વિસ્તારમાં એકલા-અટુલા-નિરાધાર, ૭૦ની વય વટાવી ચૂકેલા ૧૦૦ વૃદ્ધ વડીલોનાં ઘરે દરરોજ સવારે ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. કોરોના વાયરસને ધ્યાને લઇ શનીવારે સાંજે આ દરેક વૃદ્ધોનાં ઘરે રવિવાર જનતા કફર્યુ દિવસ માટે સૂકો નાસ્તો મોકલી આપવામાં આવ્યો હતો. પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, નીરવ મોતા, અક્ષય મોતા, વેસુભા જાડેજાએ વ્યવસ્થા સંભાળી હતી.