શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે 70 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સારવાર લઇ રહ્યા છે.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે અત્યારે કચ્છમાં રસ્તે રઝળતા- માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર 70 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો છે. દરેકની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવવામાં આવે છે. સ્વસ્થ બનતાં જ આશ્રમનાં સામાજિક કાર્યકર જે તે રાજ્યોની પોલીસની મદદ લઇ તેમનું ઘર શોધી કાઢે છે. માનવતાનાં આ કાર્યમાં કચ્છ તથા ગુજરાત અને દેશનાં દરેક રાજ્યોની પોલીસ ખૂબ જ મદદરુપ બને છે. ગુમ વ્યક્તિ મળી હોવાનાં સમાચાર પ્રાપ્ત થતાં જ પરિવારજનો ગુમ વ્યક્તિનો કબ્જો લેવા દૂર-દૂર થી ભુજ સુધી પહોંચે છે. માનવજ્યોત આશ્રમે પોતાનાં પરિવારની વ્યક્તિનો કબ્જો લઇ ખુશી અનુભવતા હોય છે. અત્યાર સુધી માનવજ્યોત સંસ્થાએ 1851 માનસિક દિવ્યાંગોને ઘર-પરિવાર શોધી આપ્યા છે. માનસિક દિવ્યાંગો, બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવતીઓ, યુવાનો મળી ટોટલ 3061 ગુમ લોકોને ભુજની માનવજ્યોત સંસ્થાએ શોધી આપ્યા છે.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, મુરજીભાઇ ઠક્કર, ભરત વી. સોની, ગોવિંદભાઇ પાટીદાર, કરશન ભાનુશાલી, નરશીંભાઇ પટેલ સહિતનાં કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે.