કોરોના સંકટ વચ્ચે ૩૦૦ તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા મીનાક્ષીબેન વાઘેલા માધાપરનાં સહકારથી ૩૦૦ પરિવારોને કોરોના વાયરસ સંકટ વચ્ચે તુલસીરોપા વિતરણ કરાયા હતા. 

તુલસીનું મહત્વ સમજાવવામાં આવેલ. કોરોના સંકટમાં તુલસી ખૂબ જ ઉપયોગી બની છે. દરરોજ પાંચ પાંદડા ચાવીને ખાઈ જવાથી રોગ પ્રતિકાર શક્તિઓમાં વધારો થાય છે. તેમજ ઘર આંગણે તુલસીવૃક્ષને શુભ ગણવામાં આવે છે. 

માનવજ્યોત દ્વારા દર મહિને જુદા-જુદા વિસ્તારોમાં જઈ તુલસીરોપાનું વિતરણ કરવામાં આવે છે. આ તુલસીરોપા રૂપી ઔષધિ કોરોનાં સંકટમાં અનેક રીતે ઉપયોગી બની રહી છે. 

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રમેશભાઈ મહેશ્વરી, સુરેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની તથા દિપેશ શાહે સંભાળી હતી.