ઉત્તરપ્રદેશનાં દેવડીયાનો અભ્યમાન્ય શર્મા ઉ.વ. ૩૬ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. વર્ષો પછી રખડતી-ભટકતી હાલતમાં તે કચ્છમાં રેલ્વે માર્ગે પહોંચ્યો હતો. અને પગે ચાલી ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો હતો. પિતાને શોધવા નીકળેલા પુત્રનું ચાર વર્ષ પહેલા પિતા સાથે મુંબઇમાં મિલન થયું. પણ તે લઇ જતી વખતે અચાનક ટ્રેનમાંથી ગુમ થયો હતો. […]
Monthly Archives: September 2023
સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ ઉજવાઇ રહેલ હતો. ત્યારે બિહારનાં મામા-ભાણેજનું પાંચ વર્ષ પછી મિલન થતાં બિહારનાં એક પરિવારને અનોખી ભેટ મળી હતી. બિહારનાં ભાગલપુર જીલ્લાનાં ભીમદાસટોલા ગામનો ૪૨ વર્ષિય યુવાન પાંચ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતો-ભટકતો સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમમાં પહોંચ્યો હતો. […]
કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતદેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફ૨સાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ભુજ શહેર ભાજપ આગેવાનો શ્રી બાલકૃષ્ણ મોતા, જયદિપસિંહ જાડેજા, અશોકભાઇ હાથી, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંત ઠક્કર, હિરેન રાઠોડ, નિકુલ ગોર, આશિકાબેન ભટ્ટ તથા સર્વે કાર્યકરોએ ઉપસ્થિત રહી […]
શ્રેષ્ઠીવર્ય, અને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ચૌદમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરે ભાવાંજલિ […]
બિહારના પટના જીલ્લાનાં બિયાટ એરીયાનાં રાયડીવી ગામનો રાજકિશોર ઉ.વ. ૩૦ ગુમ થતાં પરિવારજનો તેની સતત ચિંતા સેવી હતી. અને તેની શોધ ચલાવી હતી. ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે સતત રખડતો-મટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે માર્ગે ભુજ આવ્યો હતો. એક મહીનાં પહેલાં તે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવથોતના રફીક […]
વર્ષો પહેલા નેપાળ રહેતો પરિવાર અને ત્યાર પછી વર્ષોથી મુંબઇનાં અંધેરી નગરને પોતાની કર્મભૂમિ બનાવનાર નીતીનસિંઘ નરેન્દ્રસિંઘે ઉ.વ. ૩૦ છ મહિનાં પહેલા માનસિક સમતુલન ગુમાવી ઘર છોડ્યું હતું. અને તે સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે સોરાષ્ટ્રના સોમનાથના ‘નિરાધારનો આધાર માનવસેવા દુષ્ટ,, આશ્રમ સુધી પહોંચ્યો. ત્યાંના જનકભાઈ પારેખ અને ધ્રુવભાઇ સોલંકી તથા સ્ટાફ સર્વેએ […]
કચ્છનાં મહિલા અગ્રણી શ્રીપબીબેનને માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની બુક અર્પણ કરી હતી. શ્રી પબીબેને માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
જી.આઇ.ડી.સી. નાં સ્થાપના દિન નિમિત્તે જી.આઇ.ડી.સી. ભુજ કચેરી દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને ૧૦સિલીંગ ફેન અર્પણ કરાયા હતા. પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોની, દિપેશ શાહે આભાર માન્યો હતો.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની ટીમે માનવજ્યોત સંસ્થા ભુજની મુલાકાત લઇ સંસ્થાની કચ્છભરમાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી મેળવી લીગલ એન્ડ ડિફેન્સ કાઉન્સીલે ખુશી વ્યક્ત કરી હતી. કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને જજ શ્રી આર.બી. સોલંકી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં ડેપ્યુટી સેકશન ઓફિસર શ્રી અલ્પેશભાઇ ત્રિવેદી, એડવોકેટ શ્રી આર.કે. સમેજા, […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોચાડવામાં આવશે. શંક […]