Category Archives: પ્રવૃત્તિઓ

૮ વર્ષ ગાંધીધામમાં વિતાવનાર રાજકુમાર આખરે ઘરે પહોંચ્યો પતિ-પત્નીનું ૧૮ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં નરશીંગઢનો રાજકુમાર તંતીલાલ ચોરસીયા ઉ.વ. ૪૨ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ એની કોઇ ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. દિશાભ્રમનાં કારણે તે રખડતો ભટકતો રહ્યો હતો. ૧૦ વર્ષ પછી અચાનક તે ગાંધીધામ પહોંચ્યો હતો. ચંદન હોટલ પાછળ આવેલા સ્વામિ લીલાશા ટ્રાન્સપોર્ટ પાસેની જગ્યામાં તે સૂતો રહેતો કોઇની સાથે કાંઇ […]

૧૮ વર્ષિય યુવાનનું દોઢ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

પશ્ચિમ બંગાળનાં માલદા જિલ્લાનાં ભોજપુર ગામનો યુવાન મોતી અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ તેનાં ખબર નમળતાં પરિવારજનો નિરાશ થયા. હતા. આખરે તે રખડતો-ભટક્તો અને દિશા ભ્રમનાં કારણે ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચ્યો હતો. અને પગે ચાલી ખાવડા સુધી પહોંચ્યો હતો. ખાવડા પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ મોતી […]

બિદડામાં વધી પડેલી રસોઇમાંથી ભુજમાં ૧ હજાર ગરીબો ભરપેટ જમ્યા

માંડવી તાલુકાનાં બિદડા ગામે માતુશ્રી મુક્તાબેન મણિલાલ માવજી ફુરિયા (પટેલ પરિવાર) દ્વારા ગામમાં ધુવા બંધ જમણનું આયોજન કરાયું હતું. વધી પડેલી ગરમાગરમ રસોઇ વાહન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને મોકલવામાં આવી હતી. સંસ્થાએ ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા અને ઝુંપડીપટ્ટીઓમાં રહેતા ૧ હજાર ગરીબો તથા શ્રમજીવીકોને આ રસોઇ વિતરણ કરતા મગદાળનો શુદ્ધ દેશી ઘીનો શીરો, ખમણ, દાળ-ભાત, […]

જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે- ઝુંપડે પહોંચ્યો

પરમ પૂજ્ય સંત શીરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતિએ ભુજ અને ભુજ વિસ્તારમાં મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ મંદિરો  અને સમાજવાડીઓમાંથી મહાપ્રસાદ વધી પડ્યાનાં ૧૨ ફોન માનવજ્યોત સંસ્થાને આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલો મહાપ્રસાદ ગરીબો અને શ્રમજીવીકોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડતા ત્રણ હજારથી વધુ જરૂરતમંદ લોકોએ પણ ખીચડી, કઢી, રોટલા, ગોળ સાથેનો મહાપ્રસાદ જમી ખુશી […]

દિપાવલી પર્વે ગરીબોનાં ઝુંપડે ઝુંપડે મીઠાઇ પેકેટોનું વિતરણ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા ગરીબ અને શ્રમજીવી ૫૦૦ પરિવારોને અડધો-અડધો કિલ્લો મીઠાઇનાં પેકેટો વિતરણ કરાયા હતા. ગરીબ અને શ્રમજીવીકો પણ દિપાવલી પર્વની ઉજવણી માણી શકે અને એ પરિવારોનાં નાના ભૂલકાઓ પણ મીઠાઇનો સ્વાદ માણી શકે તેવા ઉદેશ સાથે શહેરની […]

કેન્દ્રીય વિદ્યાલય આર્મી-૨ દ્વારા બાળશ્રમયોગીઓને વિવિધ વસ્તુઓ અપાઇ

કેન્દ્રીય વિદ્યાલય આર્મી -૨ (આર.ટી.ઓ) ના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ વિજયકુમાર પાંચલના માર્ગદર્શન હેઠળ કપડા, રમકડા, શૈક્ષણિક સાધનો એકઠા કરી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અર્પણ કર્યા હતા. દિપાલી પર્વે એકઠી કરાયેલી દરેક વસ્તુઓ બાળકોને ખૂબ જ ઉપયોગી બનતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, […]

મોટી સ્કુલનાં બાળકો નાની સ્કુલનાં બાળકોને મદદરૂપ બન્યા

એચ.જે.ડી. ઇન્સ્ટીટ્યૂટ કેરાનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સંસ્થાનાં ચેરમેન શ્રી જગદીશભાઇ હાલાઇ, ઇન્સ્ટીટ્યૂટ કોર્ડીનેટર રસીલાબેન હીરાણી, શાળાનાં આચાર્ય દિપાબેન નાયરનાં માર્ગદર્શન હેઠળ કપડા, રમકડા, શૈક્ષણિક સાધનો એકઠા કરી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અર્પણ કર્યા હતા. દિપાલી પર્વે એકઠી કરાયેલી દરેક વસ્તુઓ બાળકોને ખૂબ જ ઉપયોગી બનતાં બાળકોએ ખુશી વ્યક્ત […]

દિપાલીપર્વ નિમિત્તે ૫૦૦ મહિલાઓને પાંચ-પાંચ સાડીઓ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરનાં ઝુંપડા અને ભૂંગામાં રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારોની મહિલાઓ પણ દિપાલીપર્વની ઉજવણી મનાવી શકે તેવા હેતુ સાથે શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ ઝુંપડા-ભુંગાઓ સુધી જઇ જરૂરતમંદ પરિવારોની મહિલાઓને પાંચ-પાંચ સાડી અર્પણ કરી દિપાવલીપર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી સંસ્થાની સેવાઓને બિરદાવી હતી. ૫૦૦ મહિલાઓને આ સાડીઓ અર્પણ કરાઇ હતી. […]

સંસ્કાર એવોર્ડ અર્પણ કરાયો

સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ, સંસ્કાર સ્કુલ ભુજ દ્વારા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને “સંસ્કાર એવોર્ડ” અર્પણ કરાયો હતો. સંસ્કાર સ્કુલમાં યોજાયેલ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સ્કુલનાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજ અને સમગ્ર કચ્છમાં માનવજ્યોતની જ્યોત પ્રગટાવનાર પ્રબોધ મુનવરની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની નોંધ લઇ કચ્છ મોરબીનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં વરદ્‌ હસ્તે સન્માન કરી […]

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સુઇ જાય છે ત્યારે ભુજમાં થતી પ્રવૃત્તિથી અનેક ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ -પાલારા દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી, કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક ઘણી […]