Category Archives: પ્રવૃત્તિઓ

7 દિવ્યાંગો ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 7 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 514 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, વેલબાઇ ધનજીભાઇ કરશન વરસાણી-નારાણપર દ્વારા ત્રણ તથા એક સદગૃહસ્થ દ્વારા- […]

નિવૃત્ત ડ્રેસર હરભમજી જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ભુજ તાલુકાના કેરા ગામે પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રમાં વર્ષો સુધી ડ્રેસર તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા હરભમજી ખુમાનસંગજી જાડેજાનું અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેઓશ્રી માનવજ્યોતનાં સહદેવસિંહ જાડેજાના પિતાશ્રી હતા. સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ પાટીદાર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, રફીક બાવા, નિતિન […]

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સંસ્થાએ સેવાકાર્યોનો કર્યો પ્રારંભ

હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ખાવડાથી પોતાનાં વતન તરફ જઇ રહેલા 200 જેટલા મજુરો ભુજ આવી ને રખડી પડ્યા હતા. અમુક પાસે પૈસા નહોતા. તો ભુજ આવ્યા પછી લારી,ગલ્લા, દુકાનો, રેસ્ટોરેન્ટ બંધ હોતા આ મજુર વર્ગ અને તેમનાં પરિવાર તથા નાના બાળકો રખડી રઝળી પડ્યા હતા. રેલ્વે સ્ટેશન અંદર-બહાર કોઇ વસ્તુ મળે તેમ નહોઇ રીક્ષાચાલકો […]

પિતાએ પુત્રને પ્રથમ વખત 11 વર્ષે જોયો પિતા-પુત્ર અને પતિ-પત્નીનું 11 વર્ષે થયું મિલન

પશ્ર્ચિમ બંગાળનાં કાયથા જીલ્લાનો યુવાન મેંનુર ઇસ્માઇલ શેખ ઉ.વ. 37 ગુમ થતાં પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો ચિંતાતુર બની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આખરે તે 11 વર્ષ બાદ સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરી. ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક શ્રી જયરામભાઇ ભગત અને સેવાભાવીઓએ તેની ખૂબ જ સારી સરભરા સાથે સેવાઓ […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]

પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલાઓને માનવજ્યોત દ્વારા અંજલિ અપાઇ

જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 28 પર્યટકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પર્યટકો ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવેલ. ભોગ બનેલા પર્યટકોનાં આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે અંજલિ અપાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, નિતિન ઠક્કર, દીપેશ શાહ, મનસુખભાઇ નાગડા, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ […]

ભુજનાં એસ.ટી. બસ સ્ટેશને ૬૦૦ પ્રવાસીઓએ ઠંડી છાસનો લાભ લીધો

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં ભુજનાં એસ.ટી. બસ સ્ટેશને જીલ્લા એસ.ટી.તંત્ર અને માનવજ્યોત સંસ્થાનાં આયોજનથી રાજ્યનાં એસ.ટી. બસોમાં આવ-જાવ કરતાં ૬૦૦  પ્રવાસીઓએ બરફ,જીરા,નમકવારી ઠંડી છાસનો લાભ લીધો હતો. હીટવેની આગાહી વચ્ચે ધમ બપોરે ભારે તડકા વચ્ચે ઠંડી છાસ વિતરણ થતાં પ્રવાસીઓનો જઠારાગ્નિ ઠર્યો હતો. પ્રવાસી જનતાએ નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યને બિરદાવ્યું હતું. વ્યવસ્થા ભુજ […]

રામ નવમી નિમિત્તે ૧૫૧ ગરીબ પરિવારોને મીઠાઇ પકટો વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીનાં પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીનાં સહયોગથી ૧૫૧ શ્રમજીવીક પરિવારોને અડધો કિલો મીઠાઇનાં પેકેટો વિતરણ કરવામાં આવતાં ગરીબ પરિવારોએ રામનવમી ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા, પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, હિતેશ ગોસ્વામી, આરતી […]

વડીલજને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગોની સેવા સાથે ઉજવ્યો

મુળ રાપર હાલે ભુજનાં શ્રી રસીકલાલ ચુનીલાલ મોરબીયાએ પોતાનાં ૭૧ મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી પોતાનો જન્મદિવસ ઉજવી પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ માનવજ્યોત સંસ્થાને અનુદાન અર્પણ કર્યું હતું.

રેલ્વે મારફતે પોતાનાં બે માસુમ બાળકો સાથે ભુજ પહોંચેલી યુવાન મહિલાએ પોતાનાં બંને બાળકોને ઢોર માર માર્યો

ભુજનાં રેલ્વે સ્ટેશને ટ્રેન મારફતે એક યુવાન મહિલા પોતાનાં ૩  અને ૪  વર્ષનાં બાળક-બાળકી સાથે ભુજ રેલ્વે સ્ટેશને ઉતરી હતી. અને રેલ્વે સ્ટેશન બહારે નીકળતાંજ હંગામો મચાવ્યો હતો. લોકોના ટોળા એકઠા થઇ ગયેલ. પોતાનાં ૩ વર્ષનાં બાળક અને ૪ વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો. બે પગ પકડી તેમને ગોળ ફરાવી ભીંતમાં ભટકાવેલ. આ દ્રશ્ય […]