Category Archives: પ્રવૃત્તિઓ

દો ગજ કી દૂરી… માસ્ક જરૂરી

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ૨૫ હજાર થી વધુ માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સુખપરનાં દરજી નરેન્દ્રભાઈ મુરજી મોઢ છેલ્લા ૪ મહિનાથી માનવજ્યોત સંસ્થાનાં માસ્ક બનાવી રહ્યા છે. આ તૈયાર માસ્ક જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં જઈ […]

માનવજ્યોતને વોરિયર્સ તરીકે સન્માન અર્પણ કરાયું

ભુજ અને ભુજ વિસ્તારમાં કોરોના વાયરસ વચ્ચે લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને વોરિયર્સ તરીકે શ્રી સમસ્ત ભાટિયા યુવા સંગઠન ગ્રુપ દ્વારા નિખિલભાઈ સી. આશરે સંસ્થાની ભૂખ્યાને ભોજન તથા કોરોના વાયરસ વચ્ચે લોક ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સન્માનપત્ર અર્પણ કર્યું હતું. પ્રબોધ મુનવરે આભારની લાગણી […]

રોટરી કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા દરરોજ ૮૦ બાળકોને ગરમહલદી દૂધ

રોટરી કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજ શહેરમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારોનાં ૮૦ બાળકોને રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરવા માટે હલદી (હળદર) વાળું ગરમ દૂધ પીવડાવવામાં આવી રહેલ છે.  રોટરી કેપીટલ પ્રમુખ મનીષકે. સાંયા,દિલીપસિંહ સોઢા, પુલીન પવાણી, નીતીનકુબડીયા,ડીસ્ટ્રીકટ મંત્રી મંજલના શ્રી રામદેવસિંહ જાડેજા તથા સર્વે સભ્યશ્રીઓનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ વિતરણ વ્યવસ્થા સંભાળી રહેલ […]

મિત્રની યાદમાં સેવા કાર્ય કરાયું

ભુજનાં પ્રવિણચંદ્રલાલજી પરમાર એકખૂબ જ નાના પરિવારમાંથી છે. જેમનાં દિલમાંમિત્ર પ્રત્યે અનેરી લાગણીઓ વહેતી રહી છે. મિત્ર પ્રત્યેનો ભાવ કયારે પણ ભૂલી શકતા નથી. અને મિત્રની યાદમાં એની પુણ્યસ્મૃતિમાં એનાં આત્મશ્રેયાર્થે કાંઇક નાનું પણ સેવા કાર્ય કરતા રહે છે. મિત્રની યાદમાં સેવાકાર્ય કરી તેની યાદ સદાય દિલમાં તાજી રાખતા રહે છે. તેમનાં મિત્ર સ્વ. રમેશચંદ્ર […]

ટીવી આર્ટિસ્ટ અને ફિલ્મઆર્ટિસ્ટ શાંતા ગંભીર બિમારીથી મોતને ભેટી ત્યાં સુધી સંસ્થાએ તેની સેવા કરી

વર્ષોથી ભુજને પોતાની કર્મભૂમિબનાવનાર શાંતાબેન સંજય કામ્બલે ગંભીર બીમારીથી પીડાઈ આખરે મૃત્યુ પામી છે. એક સમય હતો જયારે શાંતા ટીવી આર્ટિસ્ટ અને ફિલ્મઆર્ટિસ્ટ હતી. પણ કોઇક ગંભીર બિમારીનો ભોગ બની હતી. ભુજ આવ્યા પછી વર્ષો સુધી મજુરી કામકરતી રહી. મકાન સફાઈ, વાસણ સફાઈ, જાડુ-ફટાનું કામકરી પોતાનું ગુજરાન ચલાવતી. જુદા-જુદા વિસ્તારોમાં ભાડે મકાનમાં રહેતી. મકાન માલિક […]

માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષાબંધન

ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત ૪ માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધી તેઓ જલ્દી સ્વસ્થ બને અને પરિવારજનો સાથે ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં પ્રમુખહર્ષાબેન કોટક, ઉષાબેન ઠક્કર, બિંદુબેન જોષી, કમળાબેન વ્યાસ તથા સ્મીતાબેન નાગડાએ ઉપસ્થિત રહ્યા હતા. માનસિક દિવ્યાંગોને અલ્પહાર અપાયો હતો. સંસ્થાનાં શ્રીપ્રબોધ મુનવર તથા […]

માનવજ્યોત સંસ્થા દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ તથા કોટી વૃક્ષ અભિયાન-બિદડા દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હિતેન ધોળકિયા સ્કુલથી માધાપર પોલીસ સ્ટેશન માર્ગે ૩૦૦ વૃક્ષો વાવી વૃક્ષોને રક્ષાબાંધી વધુને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સંસ્થાનાં પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની તથા સર્વે કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાઇ લોકોને વધુમાં વધુ […]

પિતા-પુત્રીને ભુજમાં મદદરૂપ બન્યા પત્રકાર અને સંસ્થા પુત્રી કોરોના પોઝીટીવ-પિતા કોરોના નેગેટીવ

બિહારના પટનાથી આવેલા દિવ્યાંગ સરદારજી કુલદીપસિંહ રાઠોડને એક પગે પોલીયો છે. બીજા પગે પ્લેટ બેસાડાયેલી છે. કેલીફેર સારવાર માટે પોતાની ૧૬ વર્ષની દીકરી ટીના સાથે ભુજ પહોંચ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં ૩ દિવસ વિતાવ્યા. લોકડાઉન અને અનલોક પરિસ્થિતિમાં મુંઝાઈ ગયેલા સરદારજીએ વિચાર્યું કે, હવે જવું તો પણ ક્યાં જવું? આવી કપરી અને મુશ્કેલ પરિસ્થિતિમાં કોણ […]

માનસિક દિવ્યાંગોને માસ્ક અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ. સતુભા વેશલજી રાઠોડપરિવાર દ્વારા દરેકને માસ્કપહેરાવવામાં આવેલ. તેમજ દરેકને ભોજન જમાડવામાં આવેલ. આ પ્રસંગે નટુભા સતુભા રાઠોડ, નયનભાઈ શુકલ તથા મિત્ર વર્તુળ સાથે રહ્યા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.

માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી અગ્યારમું, બારમું અને તેરમાની વિધિ કરાઇ

કોરોના સંકટનાં કારણે તથા વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ જુદા-જુદા પરિવારોએ સ્વર્ગસ્થોનાં આત્માનાં મોક્ષાર્થે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી અગ્યારમું,બારમું અને તેરમાની વિધિ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. સગા-સ્નેહી-પરિવારજનોને જમાડવા અને બધાને એકઠા કરવાને બદલે હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ જુદા-જુદા છ પરિવારોનાં બે-બે જણ આશ્રમે પહોંચી જઇ […]