Category Archives: પ્રવૃત્તિઓ

મુખ્યમંત્રીશ્રીનાં વરદ્ હસ્તે કોરોના યોદ્ધા સન્માનપત્ર અર્પણ કરાયું

કોરોના વાયરસ (કોવિડ-૧૯) ની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લડાઇમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રહિતમાં સેવા-યોગદાન-સમય આપનાર માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના યોદ્ધા સન્માન પત્ર અર્પણ કરાયું હતું. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ […]

માનવજ્યોત દ્વારા ઝુંપડે-ઝુંપડે મીઠાઇ વિતરણ

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી રાણાભાઇ રવાભાઇ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર ધાણેટી, સુરેશભાઇ પ્રેમજી દડગા-ભુજ, ભરતભાઇ -લંડન, હીરજીભાઇ કેરાઇ-કોડકી તથા સગૃહસ્થ દાતાશ્રીઓનાં સહયોગથી અડધો કિલોનાં ૫૦૦શુદ્ધ દેશી ઘી મીઠાઇનાં પેકેટો તથા ફરસાણાનાં પેકેટો ઝુંપડે-ઝુંપડે વિતરણ કરવામાં આવેલ. શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, કૃપાલસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક […]

માનવજ્યોત દ્વારા ભુજની ચારે દિશામાં જરૂરતમંદોને કપડા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરની ચારે દિશામાં ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે કપડા વિતરણ કરાયા હતા. માનવજ્યોતનું વાહન ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચ્યું હતું. ઝુંપડા-મુંગા-કાચા મકાનોમાં રહેતા ગરીબો શ્રમજીવીકો દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે તેવા ઉદ્દેશ સાથે પુષ્કળ પ્રમાણમાં કપડા વિતરણ કરાયા હતા. ભુજવાસીઓએ જુના પુરાના સારા કપડા માનવજ્યોતને આપ્યા હતા. માનવજ્યોતે આ કપડા જરૂરતમંદો સુધી […]

માનવજ્યોતને ૫૦ ખુરશી, પાંચ ટેબલ અર્પણ કરાયા

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના સંત શ્રી પૂ. કોઠારી શ્રી સુખદેવસ્વામિતથા પૂ. કોઠારી શ્રી પરમેશ્વર સ્વામિની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોના શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને દાતાશ્રી વાલજીભાઇ વેલજી વરસાણી-સુખપર હરિ બિલ્ડર્સ સીસલ દ્વારા ૫૦ ખુરશી અને પાંચ ટેબલ અર્પણ કરાયા હતા. આપ્રસંગે દેવશીભાઇ ભુડીયા, મહેન્દ્રભાઇ રાબડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર […]

પશ્ચિમબંગાળનો યુવાન ૩ વર્ષ પછી ઘરે પહોંચ્યો

પશ્ચિમબંગાળનાં મુર્શિદાબાદ જિલ્લાનાં સીમાલીયા ગામનો ૩૮ વર્ષિય યુવાન સંજયદાસ છેલ્લા ૩ વર્ષથી ગુમહતો. પરિવારજનોએ ગુમસુદા નોંધ કરાવી હતી. પરિવારજનો તેને શોધી રહ્યા હતા. ભુજનાં માર્ગો ઉપર તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા રફકીબાવાની નજરે ચડતાં તેને માનવજ્યોત સંસ્થા મુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. ભુજની […]

માનવજ્યોતને સાઉન્ડ સીસ્ટમઅર્પણ કરાઇ

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરનાં સંત શ્રી પૂ. કોઠારી સુખદેવસ્વામી તથા પૂ. કોઠારીપરમેશ્વર સ્વામીની આજ્ઞાથી શામજી વેલજી વાઘાણી તથા પ્રેમજી વેલજી ભૂવા સુખપરવાલા તરફથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિકદિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને સ્ટેરીયો હેવી સાઉન્ડ સિસ્ટમઅર્પણ કરાઇ હતી. આ પ્રસંગે સંતશ્રીઓએ ઉપસ્થિત રહી સૌને મીઠું મોઢું કરાવ્યું હતું. દેવશીભાઇ ભુડીયા, રમજાનભાઇ મમણ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા […]

માનવજ્યોત સંસ્થા ભુજને જનરેટ સેટ અર્પણ કરાયો

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના સંત શ્રી પૂ. કોઠારી શ્રી સુખદેવસ્વામિતથા પૂ. કોઠારી શ્રી પરમેશ્વર સ્વામિની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને ૧૦ કે.વી. હેવી જનરેટ સેટ દાતાશ્રી દેવશીભાઇ હીરજી ભુડિયા, લાલજીભાઇ તથા ભરતભાઇ ભુડિયા, સંતકૃપા એગ્રો એન્જીનીયરીંગ સુખપર દ્વારા અર્પણ કરાયું હતું. સંસ્થાની લાંબા સમયથી ખૂટતી કડી દાતાશ્રી પરિવાર દ્વારા પરિપૂર્ણ […]

૩૦ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી શરદપૂનમપર્વની અનોખી ઉજવણી કરાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૦વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી અર્પણ કરી શરદપૂનમપર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગોવિંદભાઇ ભુડિયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા તથા નનીતાબેન કેરાઇએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા […]

દિપાવલીપર્વ નજીક આવતાં… માનવજ્યોત દ્વારા કપડા વિતરણ શરૂ કરાયું . ૮ હજાર લોકો સુધી કપડા પહોંચાડાશે.

દિપાવલી પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં જઇ કાચા મકાનો-ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા લોકોને તથા શ્રમજીવીકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવી રહેલ છે. ભુજ અને ભુજ વિસ્તારમાં રહેતા સુખી-સંપન્નશ્રીમંત પરિવારો વણવપરાયેલા જુના-નવા કપડા માનવજ્યોત સુધી પહોંચાડે છે. સંસ્થા આ કપડા જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે. ગરીબ-મજુર વર્ગ […]