Category Archives: પ્રવૃત્તિઓ

માતવજ્યોત દ્વારા શ્રાદ્ધ તિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોચાડવામાં આવશે. શંક […]

હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભુજનાં માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી રઘુવંશીનગર મહાકાલેશ્વર મંદિર ચોક મધ્યે યોજવામાં આવેલ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનો ૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. મંદિરના પુજારી વિઠ્ઠલગીરી ગોસ્વામી, ડો. પ્રતિક્ષાબેન પવાર અને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. […]

બિદડાનાં વાડી વિસ્તાર નર્મદા કેનાલ પાસેથી મળી આવેલ નિવૃત્ત ઇન્ડીયન આર્મી મેનને ઘર શોઘી અપાયું

રાજસ્થાનનાં જયપુર શહેરનાં ગોપીરામ રાઠોડ ઉ.વ. ૫૪ ગુમળતાં શિક્ષીત પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. પરિવારજનો તેને શોધવા નીકળી પડ્યા. માત્ર અંગ્રેજી અને હિન્દી બોલતા ગોપીરામ કચ્છનાં બિદડા ગામનાં વાડી વિસ્તારની નર્મદા કેનાલ પાસેથી મોટા ભાડિયાનાં કલ્યાણભાઇ ગઢવી તથા સજણભાઇ ગઢવીને મળી આવતાં તેમણે નાના માડિયાનાં દેવાંગભાઇ ગઢવી મારફતે સંદેશો માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યો હતો. […]

ચેન્જમેકર ઓફ ઇન્ડીયા એવોર્ડ અર્પણ કરાયો

ગ્રીનપ્રેન્યોર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને “ચેન્જરમેકર ઓફ ઇન્ડીયાએવોર્ડ,, અર્પણ કરાયો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન હોલ મધ્યે યોજાયેલા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ રાજ્ય કક્ષાનાં સહકાર અને મીઠા ઉદ્યોગ વિભાગનાં મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માનાં વરદ્ હસ્તે શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ […]

ઝારખંડનો યુવાન દોઢ વર્ષે ઘરે પહોંચ્યો ભાઇએ ભુજ આવી ભાઇનો કબ્જો લીધો

ઝારખંડના અમરાપરા વિસ્તારનાં પાપુર ગામનો ૩૬ વર્ષિય યુવાન કરામત અલી અબ્દુલમજીદ મિંયા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સુખી-સંપન્ન પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. જ્યાંથી ખબર મળે તે રાજ્ય-શહેરમાં પહોંચી જઇ પરિવારજનો તેની સતત શોધ ચલાવતા રહ્યા. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે […]

ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગરનાં છાત્રોએ માનવજ્યોતની મુલાકાત લીધી

ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગર સામાજિક કાર્યનાં બીજા વર્ષનાં બીએસડબલ્યુ એલ.એલ.બી. વિદ્યાર્થીઓ બેચ- ૨૦૨૨-૨૭એ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. સેન્ટ૨ ફોર લો એન્ડ સોસાયટી દ્વારા ગુજરાતમાં આપત્તિ, પ્રાકૃતિક જોખમો, વ્યવસ્થાપનની નિર્ણાયક જરૂરિયાત અને વ્યવહારૂ પાસા જોવાનું કાર્ય તથા સંશોધન અને તાલીમની પ્રવૃત્તિઓ કરાય છે. અને કાયદા અને જ્ઞાનના પ્રસાર […]

અધિક માસનું પુન્ય બાંધવા પુન્ય કથા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આખા અધિક શ્રાવણ માસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થઇ રહેલ છે. દ૨૨ોજ સવારે ૧૧ કલાકે સેવાશ્રમ મધ્યે નારાયણ સરોવરનાં પ્રખ્યાત શાસ્ત્રી શ્રી દિપક મારાજ પુરૂષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરાવે છે. કથા-પૂજા-અર્ચના-આરતી સાથે મંગલમય અધિક માસ ઉજવાઇ રહેલ છે. આશ્રમનાં માનસિક દિવ્યાંગો, સ્ટાફ સર્વે તથા જમાડવા આવનાર દાતા […]

મધ્યપ્રદેશની ગુમ મહિલા ૩ વર્ષ પછી મળી આવી મધ્યપ્રદેશ પોલીસે ભુજ પહોંચી કબ્જો લીધો

મધ્યપ્રદેશનાં દમોદ વિસ્તારની મહિલા સુમિત્રા રાઠોડ ઉ.વ. ૬૦ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે પોલીસમાં તેની ગુમ નોંધ કરાવી હતી. રખડતી-ભટકતી તે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમ સુધી પહોચી હતી. સંસ્થાનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલે તેની ખૂબ જ સારી સારવાર કરાવી. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ […]

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા માનસિક દિવ્યાંગ મહિલાઓને રાસ રમાડી ભોજન જમાડાયા

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનાં એક ભાગરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનો સાથે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કલબનાં બહેનો હોશે હોશે જોડાયા હતા. આશ્રમનાં દિવ્યાંગ મહિલાઓને રાસ રમાડવામાં આવેલ. કલબનાં બહેનો સાથે રાસ રમી દિવ્યાંગ મહિલાઓ પણ નાચી- ઝુમી ઉઠી ખુશી વ્યક્ત કરી હતી. કલબ દ્વારા […]

આંધ્રપ્રદેશનાં યુવાન અને મહિલાને ઘર શોધી અપાયા બંને અઢી-અઢી વર્ષ પછી ઘરે પહોંચ્યા

આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાનો યુવાન ચીઠી પ્રસાદી રામારેડી ઉ.વ. ૨૭ તથા મહિલા વીરેસમા ઉ.વ. ૫૦ અચાનક ગુમ થતાં બંનેનાં પરિવારજનોએ ખૂબ જ ચિંતાસેવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ યુવાન મુંબઇ-ભુજ ટ્રેનમાં ગાંધીધામ પહોંચ્યો હતો. ગાંધીધામથી તેને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર ટ્રેનમાં બેસાડી ભુજ લઇ આવેલ, અને રામદેવ સેવાશ્રમ મધ્યે રાખી તેની સારવાર શરૂ કરાવી, જયારે મહિલા રખડતી-ભટકતી બાયડનાં […]