ભુજનાં હોસ્પીટલ રોડ મધ્યે આવેલ દેસાઇ એકાદમી (દેસાઇ સ્કુલ) નાં બાળકોએ પોતાનાં ઘરમાં રહેલી વધારાની વસ્તુઓ કપડા, પાઠ્યપુસ્તકો એકઠા કરી સ્કુલ મધ્યે લાવી શાળા પરિવારની ઉપસ્થિતિમાં ભુજની માનવજ્યોત સંસ્થાને અર્પણ કર્યા હતા. સંસ્થા આ એકઠી થયેલી દરેક વસ્તુઓ જરૂરતમંદ બાળકો સુધી પહોંચાડશે. શાળા પરિવારનાં મીનાબેન દેસાઇનાં માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષીકાગણના પ્રતિક્ષાબેન દેસાઇ, ધ્વનીબેન દેસાઇ, સ્વાતિબેન […]
Category Archives: પ્રવૃત્તિઓ
શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ ભુજ વિસ્તારના એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઇ નથી… બીજા ઉપર પરાધીન છે… એકલા અટુલા નિરાધાર છે. બિમાર છે. પથારી ઉપર છે… ચાલી શક્તા નથી… ઘરથી બહારે નીકળી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રીપ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાંવિતરણ કરવામાં આવશે. ૧૦૦પરિવારોને રાશનકીટ અર્પણ કરવામાં […]
પ્રમુખ સ્વામિનગર ચોકડી પાસે આવેલ “પ્રયાસ સ્કુલ,, મધ્યે બાળકો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ વિશે ગોષ્ઠી ડો. મુક્તિબેન કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે બાળકોને માનવસેવા,જીવદયા,પર્યાવરણ, વ્યસન મુક્તિ વિશે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. અન્નનો બગાડ અટકાવવા, વધુને વધુ વૃક્ષારોપણ કરવા, ખોટા વ્યસનનોથી દૂર રહેવા, અનોખી શિક્ષણ પ્રથાને અમલી બનાવવા બાળકોને માર્ગદર્શન પૂરૂં પાડ્યું […]
ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગુજરાતનાં વિવિધ માનસિક દિવ્યાંગોનાં આશ્રમોનો સંપર્ક કરી તેમની સાથે સંકલન કરી તેઓનાં આશ્રમમાં રહેલા માનસિક દિવ્યાંગોના ઘર શોધી, પરિવાર સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ મોરબી, મહુવા, સોમનાથ, બાયડ, આણંદ, ગાંધીધામ, ભચાઉની વિવિધ માનસિક દિવ્યાંગોની સંસ્થાઓ સાથે સંકલન કરવામાં […]
મિલેસૂર હમારા વુમન્સ મ્યુઝિકલ સંસ્થા અને સૂર આરાધના મ્યુઝિકલ સંસ્થા ભુજ દ્વારા માનવજયોત સંસ્થા ભુજનાં સથવારે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે રાસ-ગરબાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે મા જગદંબાની આરતી ઉતારવામાં આવેલ. ભુજનાં સામાજિક આગેવાન અને સંગીતપ્રેમી શ્રી ઝવેરીલાલભાઈ સોનેજીએ પોતાનાં જન્મદિવસની ઉજવણી માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં […]
“મા,, નવદુર્ગાની નવલી નવરાત્રી નિમિત્તે અષ્ટમી આઠમનાં ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક ગામોમાં વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધીમાં રસોઈ વધી પડ્યાનાં ૨૩ ફોન આવ્યા હતા. વરલી, રતનાલ, કોટડા ચકાર, માધાપર, લાખોંદ, સુખપર, માનકુવા, થરાવડા વિગેરે ગામો તથા ભુજની ૮ સમાજવાડીમાંથી ૧૦ […]
આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાની લક્ષ્મીકલાવંતી ઉ.વ. ૨૪ ગુમ થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. યુવાન દીકરીનું હવે શું થાશે તેની ચિંતામાં પરિવારજનો બેચેન બન્યા હતા. આંધ્રપ્રદેશ થી ટ્રેન મારફતે તે ગુજરાતમાં પહોંચી હતી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ મધ્યે આશ્રય મેળવ્યું હતું. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા […]
માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે દાતા શ્રી ઝેડ.એમ.મુનશીં પરિવાર-ભુજ દ્વારા રૂા. ૪૦ હજારનું રાશન અર્પણ કરાયું હતું. શ્રી પ્રબોધ મુનવર,પૃથ્વીરાજસિંહ જાડેજા,રફીક બાવાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
મધ્યપ્રદેશનાં ધાર જીલ્લાનાં ધરમપુરી વિસ્તારની મહિલા મણી ઉ.વ. ૩૭ બે વર્ષ પહેલાં ગુમ થઇ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો પણ તે રખડતી ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને ભુજ તેડી આવ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેના પરિવારજનો ને સમાચાર મળતાં […]