માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ એક સગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી નારાણપર ગામે રાધેકૃષ્ણ મંદિર ચોકમાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્કવિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શ્રી ગોવિંદભાઇ રામજી ભુડીયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા,જશુબેન પીંડોરીયા, લીલાબેન સેંઘાણી, મનજીભાઇ સેંઘાણી, નીતાબેન ભુડિયાએ શોભાવ્યું હતું.
સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ માનવજ્યોતની કચ્છમાં ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.ઉપસ્થિત આગેવાનોના વરદ્ હસ્તે ચકલીઘરોનું વિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન શ્રી શંભુભાઇજોષીએ. જયારે આભાર દર્શન કનૈયાલાલ અબોટીએ કરેલ. વ્યવસ્થામાં આનંદ રાયસોની, ઇરફાન લાખા, મહેન્દ્રભાઇ મારાજ, સંજયભાઇ ગોર, પ્રવિણભાઇ દરજી, લાભશંકર પંડયાએ સહકાર આપ્યો હતો.