Category Archives: સમાચાર / ઘટનાઓ

૧૧ દિવ્યાંગ, બ્લાઇન્ડ પરિવારોનાં ઘરે જઇ રાશનકીટ અપાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ૧૧ બ્લાઇન્ડ અને દિવ્યાંગ પરિવારોને સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન. પટેલ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડિયા, સમાજ સુરક્ષાનાં ચિફ ઓફિસર એન.એસ. ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ રાશન કીટ તેમનાં ઘેર જઇ અર્પણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ સંભાળી હતી.

ભુજમાં ૧૫૦ પરિવારોને રાશનકીટ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થત ભારાસરનાં દાતાશ્રી જાદવજીભાઇ ગોવિંદ વરસાણી, દેવશીંભાઇ પરબત હીરાણીનાં સહયોગથી ભુજનાં મુન્દ્રા રોડ વિમાન સર્કલ, પટેલ હોસ્પીટલ સામે અને જયુબિલી ગ્રાઉન્ડ  સુધીનાં ૧૫૦ ભૂંગા-ઝુંપડાઓમાં જઇ રાશનકીટનું વિતરણ કરવામાં આવેલ. સાત દિવસ ચાલે તેવી રાશનકીટમાં ૧૦ વસ્તુઓ આપવામાં આવતાં ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રાજુ […]

૧૩૦૦ જણાની તૈયાર રસોઇ જરૂરતમંદ સુધી પહોંચી આભાર

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દરરોજ ૧૩૦૦ જણાની તૈયાર રસોઇ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા ભુંગાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દાનાભાઇ રામા આહિર-ગુણાવતીપુર- ભચાઉ-૩૦૦, પુજા જયભાઇ સંઘવી-૭૫, કીર્તીકુમાર ચંદુલાલ મોરબીયાનાં સ્મણાર્થે મોરબીયા મગનલાલ જીવરાજ પરિવાર દ્વારા-૧૨૫, ભુજ મર્કેન્ટાઇલ બેંક મહેન્દ્રભાઇ મોરબીયા -૭૧૧, કોટક નગર સોસાયટી માધાપર-૩૦૦, ડાયમંડ મહિલા મંડળ ભુજ દ્વારા ૩૦૦, યદુનંદન […]

એક હજાર કિલો તાજા શાકભાજી વિતરણ કરાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા શહેરનાં સરપટ ગેટ પાસે આવેલા સથવારા કોલોનીનાં ૪૩૦ લોકોને તાજી શાકભાજી ટમેટા,દૂધી,કાકડીનું વિતરણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા પેરાલીગ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ સંભાળી હતી.

માનવજ્યોત દરરોજ ૧૨૦૦ લોકોને બપોરે ફુડ પેકેટસ પહોંચાડે છે. સાંજે સૂકો નાસ્તો

વિવિધ સંસ્થાઓનાં સાથ અને સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ૧૨૦૦ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાય છે. ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ ભુજ દ્વારા ૧૦૦ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરજાપર દ્વારા ૨૦૦, વાગડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા ૨૦૦ ફુડ પેકેટ તૈયાર કરી માનવજ્યોતને આપવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકો સુધી વાહન દ્વારા […]

માનવજ્યોત – ભુજને ૫૦ હજારનું અનુદાન અપાયું

માનવસેવા, જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને શ્રી જૈન મેડીકલ એન્ડ એજ્યુ ટ્રસ્ટ, માતૃછાયા કન્યા વિદ્યાલય, સર્વ મંગલ આરોગ્યધામ દ્વારા રૂપિયા પચાસ હજારનો ચેક જીલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે. ના વરદ્‌ હસ્તે ટ્રસ્ટી શ્રી મધુભાઇ તથા ટ્રસ્ટગણની ઉપસ્થતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને અર્પણ કરાયો હતો. સંસ્થા દ્વારા કોરોનાંથી ઉભી થયેલી પરિસ્થતિમાં ભુજ અને ભુજ […]

વંદેમારતમ્‌ ગ્રુપ દ્વારા ૭૦૦ લોકોને માસ્ક વિતરણ કરાયા

શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા લોકો કે જેમની પાસે મોઢા ઉપર બાંધવા માસ્ક નથી એવા લોકોને વંદેમાતરમ્‌ ગ્રુપ- જયભાઇ મારવાડા, ઉમરશીંભાઇ મારવાડા ગ્રુપનાં સર્વે કાર્યકરો દ્વારા માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરનાં સહકરાથી ૭૦૦ લોકોને તેમના ઘર સુધી જઇ માસ્ક અપાયા હતા. અને મોઢા ઉપર બાંધવા સૂચના અને સમજ અપાઇ હતી. બધા જ કમ્પાઉન્ડર તથા […]

તા. ૩૦ નાં ૧૦૯૩ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાયા ભુજમાં સેવાકાર્યને આગળ ધપાવતી માનવજ્યોત

ભુજ શહેરનાં વિવિધ મહિલા મંડળો, યુવક મંડળો, સંસ્થાઓ, મહાજનો દ્વારા મળેલ ફુડ પેકેટો માનવજ્યોત દ્વારા જરૂરતમંદો સુધી પહોંચાડાયા હતા. ભુજ ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ દ્વારા દરરોજ ૧૦૦ ફુડ પેકેટસ, વાગડ બે ચોવીસી જૈન યુવક મંડળ દ્વારા ૧૦૦ ફુડ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર દ્વારા દરરોજ૨૦૦ લોકો માટે ગરમ રસોઇ માનવજ્યોત સંસ્થાને આપવામાં આવતાં […]

૨૦૦ પરિવારોને સૂકો નાસ્તો તથા શાકભાજી અપાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ભુજ શહેરનાં આશાપુરા નગરી વિસ્તારોમાં ૨૦૦ પરિવારોને સૂકો નાસ્તો તથા શાકભાજી અપાયા હતા. પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.

૭૦૦ લોકોને ફૂડ પેકેટસ પહોંચાડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ લોકોનાં સહકારથી સંસ્થા અને મંડળો પાસેથી મળેલા ૭૦૦ ફુડ પેકેટો જરૂરતમંદ લોકો સુધી પહોંચતા કરાયા હતા. જેની પાસે પૈસા નથી, ઘરમાં અનાજ નથી, તેવા લોકો માર્ગો ઉપર બેસી ફુડ પેકેટસ મળે તેવી રાહ જાતા નજરે પડે છે. માનવજ્યોતની ૧૬ સભ્યોની ટીમ તથા ૯ ડ્રાઇવરો સંસ્થાનાં વાહનો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં […]