માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોડકી પ્રાથમિક શાળા મધ્યે કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ ગામના સરપંચ વંકાભાઇ રબારી, શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેશભાઇ ત્રિવેદી તથા સ્ટાફ સર્વે અને ગામવાસીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. માનવજ્યોત દ્વારા 150 કુંડા અને 150 ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ ચકલીદિવસનું મહત્વ સમજાવ્યું હતું. પંચાયતના સભ્યો હરજીભાઇ મહેશ્ર્વરી, […]
Category Archives: સમાચાર / ઘટનાઓ
ઉત્તરપ્રદેશનાં પુરવા જીલ્લાનાં બેરાઇચ ખારિધાર વિસ્તારનો યુવાન દુઃખીરામ ઉ.વ. 31 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે અનેક રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. ચાર વર્ષ પછી તે કચ્છનાં માંડવી તાલુકાનાં નાનાભાડિયા વિસ્તારમાંથી માનવજ્યોતનાં કાર્યકર દેવાંગભાઇ ગઢવીને મળી આવતાં તેમણે પોતનાં વાહન મારફતે આ યુવાનને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને […]
ભુજનાં રીજીયોનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે પ્રોજેકટ ડાયરેકટર વિરલભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં “વિશ્વ ચકલી દિવસ,, ઉજવાયો હતો. ફેસીલીટી મેનેજર આરતીબેન આર્યે પ્રાસંગિક વક્તવ્ય આપતાં લૂપ્ત થતી ચકલીઓને બચાવી લેવા, તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજપૂરી પાડી હતી. અદ્રશ્ય થઇ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવી હતી. […]
માનવસેવા, જીવદયા અને સમરસતાના ઉપાસક અંબેધામ ગઢશીશાનાં પરમ વંદનીય ભાગવત દેવી, પૂજ્ય ચંદુમાનાં સાનિધ્યમાં અને ગં.સ્વ. માતુશ્રી ઉષાબા વિજયભાઇ આડઠક્કરનાં મુખ્ય યજમાનપદે, પ્રખર ભાગવતકાર પૂજ્ય જિજ્ઞેશદાદાની ગઢશીશા મધ્યે ચાલતી શ્રીમદ્ ભાગવત કથા દરમ્યાન માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજાએ પૂજ્ય જિજ્ઞેશદાદાને કુંડા-ચકલીઘર અર્પણ કર્યા હતા. અને કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા ભુજની ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી […]
ઉત્તરપ્રદેશનાં રાયબરેલી જીલ્લાનાં નરેન્દ્રપુર વિસ્તારનો યુવાન પ્રમોદકુમાર ઉ.વ. 28 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ઘેરથી નીકળ્યા પછી તે વિવિધ રાજ્યોનાં શહેરો-ગામોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. ઉપર આભ… નીચે ધરતી. ક્યાંક ખાવાનું નમળ્યું… તો ક્યાંક સૂવાનું નમળ્યું. ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો. પરિવાજનો તેની સતત ચિંતા સેવી રહ્યા હતા. વર્ષોનાં વર્ષો વીતી […]
બેંક ઓફ ઇન્ડીયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે પ્રવૃત્તિના એક ભાગરૂપે વોટર કુલર અર્પણ કરાયું હતું. બેંક ઓફ ઇન્ડીયાના રાજમન પ્રજાપતિ, ભવલીન સિંઘ, અવનીબેન મંગે, કાન્તીલાલ રાઠોડની ઉપસ્થિતિમાં આ વોટરકુલર અર્પણ કરાયું હતું.માનવજ્યોત દ્વારા બેંક ઓફ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેર ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી ભરતભાઇ રાણાએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરાલીગલ વોલીન્ટીર શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાઓ માટેના કાયદા અને સુરક્ષાની સમજ પૂરી પાડી […]
ભુજનાં એક વૃદ્ધ ઉંમર વર્ષ 80 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ચોથા દિવસે પદ્ધર પોલીસ સ્ટેશને આ વૃદ્ધ વડીલ મળતાં મધ્ય રાત્રિએ તેમને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આ વૃદ્ધનુંઆશ્રય સ્થાન બન્યું. પાંચમાં દિવસે વૃદ્ધનાં પરિવારને શોધી કઢાયું. પરિવારજનોને વૃદ્ધ વડીલનો કબ્જો સોંપાતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. અન્ય એક […]
ભુજનાં જાણીતા, અને નિષ્ણાંત સર્જન ડોકટરશ્રી રાજેશ ગોરીની સેવાઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોની અતિ ઉત્તમ સેવાઓ કરી તેમનાં ઓપરેશન પણ નિઃશુલ્ક કરી માનવતાનું અતિ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયારે જયારે સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો વધુ બિમાર પડ્યા છે, કોઇ મોટી […]
કચ્છનાં ભુજ તાલુકાનાં ઝીંકડી ગામની દીકરી રાજવી મહેશભાઇ કેરાસિયા ઉ.વ. 18 નું તાજેતરમાં અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી દીપેશ શાહે રાજવીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. ધોરણ-12 પાસ રાજવી, પરિવાર, ઝીંકડી ગામ, સમાજ, શાળા અને કચ્છનાં ગૌરવસમાન હતી. 19માં […]










