માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ભુજમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે. માનવજ્યોતની પૂરી ટીમ તથા ૭ વાહનો લોકડાઉનમાં પણ લોકોને મદદરૂપ બની રહ્યા છે. • એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વડીલ વૃદ્ધોને દરરોજ ટીફીન દ્વારા તેમના ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવી રહેલ છે. • ભુજની જુદી-જુદી હોસ્પીટલોમાં દાખલ દર્દીઓ તથા તેમની સાથેના તેમના સગા-સંબંધીઓને […]
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ બે હજાર લોકોને તેમના ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ફુડ પેકેટસ પહોંચાડવામાં આવે છે. માનવજ્યોત સંસ્થાનાં ૪ વાહનો તથા કાર્યકરો ભુજ શહેરની ચારે દિશાઓમાં બપોરે બાર વાગ્યાથી ફુડ પેકેટોનું વિતરણ કરે છે. કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, વાગડ બે ચોવીસી યુવક મંડળ ભુજ, ભાનુશાલી મહાજન ભુજ, મીરઝાપરનાં એક દાતાશ્રી, […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થિત દાતાશ્રી રામજીભાઇ કાનજી હીરાણી, દેવશીંભાઇ પરબત હીરાણી તથા જાદવજીભાઇ ગોવિંદ વરસાણી ભારાસર દ્વારા તૈયાર મળેલ ૫૦૦ કીટોનું ઝુંપડા-ભૂંગાઓમાં રહેતા ગરીબ પરિવારોનાં ઘર સુધી જઇ વિતરણ કરવામાં આવેલ. સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ૫૦ રાશન કીટ, ભાવનાબેન ધનજીભાઇ વરસાણી માધાપર દ્વારા ૧૦૦ રાશનકીટ, લાલજી મેઘજી વેકરીયા બળદીયા દ્વારા ૨૫૦ કીટ, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓ દ્વારા મળેલા ફુડ પેકેટસ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોંચાડાયા હતા. નાગોર ગામવાસીઓ દ્વારા બે હજાર રોટલી, સરસપુર ગામવાસીઓ દ્વારા એક હજાર રોટલી, ઓમદાન ગઢવી તથા ગંગાબાઇ ભાનુશાલી ગણેશનગર દ્વારા ૨૦૦ જણાના ખારા ભાત, ડો. મુકેશભાઇ ચંદે દ્વારા ૨૦૦ ફુડ પેકેટ, જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ૧૧ બ્લાઇન્ડ અને દિવ્યાંગ પરિવારોને સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન. પટેલ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડિયા, સમાજ સુરક્ષાનાં ચિફ ઓફિસર એન.એસ. ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ રાશન કીટ તેમનાં ઘેર જઇ અર્પણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થત ભારાસરનાં દાતાશ્રી જાદવજીભાઇ ગોવિંદ વરસાણી, દેવશીંભાઇ પરબત હીરાણીનાં સહયોગથી ભુજનાં મુન્દ્રા રોડ વિમાન સર્કલ, પટેલ હોસ્પીટલ સામે અને જયુબિલી ગ્રાઉન્ડ સુધીનાં ૧૫૦ ભૂંગા-ઝુંપડાઓમાં જઇ રાશનકીટનું વિતરણ કરવામાં આવેલ. સાત દિવસ ચાલે તેવી રાશનકીટમાં ૧૦ વસ્તુઓ આપવામાં આવતાં ગરીબ પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રાજુ […]
માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દરરોજ ૧૩૦૦ જણાની તૈયાર રસોઇ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા ભુંગાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દાનાભાઇ રામા આહિર-ગુણાવતીપુર- ભચાઉ-૩૦૦, પુજા જયભાઇ સંઘવી-૭૫, કીર્તીકુમાર ચંદુલાલ મોરબીયાનાં સ્મણાર્થે મોરબીયા મગનલાલ જીવરાજ પરિવાર દ્વારા-૧૨૫, ભુજ મર્કેન્ટાઇલ બેંક મહેન્દ્રભાઇ મોરબીયા -૭૧૧, કોટક નગર સોસાયટી માધાપર-૩૦૦, ડાયમંડ મહિલા મંડળ ભુજ દ્વારા ૩૦૦, યદુનંદન […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા શહેરનાં સરપટ ગેટ પાસે આવેલા સથવારા કોલોનીનાં ૪૩૦ લોકોને તાજી શાકભાજી ટમેટા,દૂધી,કાકડીનું વિતરણ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા પેરાલીગ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવાએ સંભાળી હતી.
વિવિધ સંસ્થાઓનાં સાથ અને સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ૧૨૦૦ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાય છે. ભાનુશાલી મહાજન અને ભાનુશાલી યુવક મંડળ ભુજ દ્વારા ૧૦૦ પેકેટ, કપીરાજ હનુમાન મંદિર મીરજાપર દ્વારા ૨૦૦, વાગડ બે ચોવીસી યુવક મંડળ દ્વારા ૨૦૦ ફુડ પેકેટ તૈયાર કરી માનવજ્યોતને આપવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકો સુધી વાહન દ્વારા […]
માનવસેવા, જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને શ્રી જૈન મેડીકલ એન્ડ એજ્યુ ટ્રસ્ટ, માતૃછાયા કન્યા વિદ્યાલય, સર્વ મંગલ આરોગ્યધામ દ્વારા રૂપિયા પચાસ હજારનો ચેક જીલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે. ના વરદ્ હસ્તે ટ્રસ્ટી શ્રી મધુભાઇ તથા ટ્રસ્ટગણની ઉપસ્થતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને અર્પણ કરાયો હતો. સંસ્થા દ્વારા કોરોનાંથી ઉભી થયેલી પરિસ્થતિમાં ભુજ અને ભુજ […]