કુકમા ગામની અંદર વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી સેવાયજ્ઞ ચાલી રહ્યું છે. અહીં દરરોજ ૨૦૦ જણાની તાજી-ગરમ તૈયાર રસોઇ બનાવીને માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવે છે. માનવજ્યોત સંસ્થા આ રસોઇથી ભુજ વિસ્તારમાં કોરોના સંકટમાં ભૂખ્યાઓને ભોજન કરાવી રહી છે. આ તૈયાર રસોઇથી અનેકોનાં જઠારાગ્ન ઠરે છે. કુકમા ગામવાસીઓ એક પછી આ સેવાયજ્ઞમાં જાડાઇ સેવાકાર્યને આગળ ધપાવી રહ્યા […]
Category Archives: પ્રવૃત્તિઓ
ભુજ નગરપાલિકાનાં નિવૃત્ત કર્મચારી અને પેન્શનર શ્રી હરેન્દ્ર મહેતા દ્વારા માનવજ્યોત સંસ્થાની અત્યારે ચાલી રહેલી કોરોનાં સામેની લડતની પ્રવૃત્તિથી ખુશ થઇ સંસ્થાને ૫૧ હજારનું અનુદાન આપ્યું હતું. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના ગોઝારા ભુકંપમાં પોતાની પત્ની, પુત્ર, પુત્રવધુ ગુમાવનાર શ્રી હરેન્દ્ર મહેતાએ કોરોનાથી ઉભી થયેલ પરિસ્થતિમાં જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી, ભુકંપમાં […]
લાખોંદ રોડનાં આશાપુરા કોલોની બસ સ્ટેશન પાસે આવેલા શ્રી રામદેવપીર મંદિર મધ્યે પૂજારી કાપડી દાદાના માર્ગદર્શન હેઠળ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. અહીં જરૂરતમંદ લોકો માટે દરરોજ ૨૦૦ જણાની રસોઇ તૈયાર કરી વિતરણ માટે માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવે છે. આ ભોજન જરૂરતમંદો સુધી પહોંચતા તેમનો જઠારાગ્ન ઠરે છે. આજુ-બાજુનાં વિસ્તારનાં ભાઇ-બહેનો અહીં સેવાઓ આપી રહ્યા […]
ઇન્દીરા કલબ ભુજ, ભારતીય સેવા મંડળ અને ઇન્નરવ્હીલ કલબ ભુજ દ્વારા માસ્ક સીવડાવી માનવજ્યોત સંસ્થાને અર્પણ કરાયા હતા. ઉષાબેન અમૃતલાલ ઠક્કરે જરૂરતમંદ લોકોને આપવા માસ્ક માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને આપ્યા હતા. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને આખા દિવસનું ભોજન પણ અપાયું હતું.
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિવિધ ક્ષેત્રનાં લોકોનાં સહયોગથી જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઇ તાજુ અને તૈયાર ભોજન પીરસાય છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચી છે. કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, વાગડ બે ચોવીસ જૈન યુવક મંડળ, સંગીત ગ્રુપ ઓફ શોપ, ચાણકય […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દાતાશ્રી ભવનાથ સત્સંગ મંડળ ભુજ હસ્તે તારાબેનનાં સહયોગથી ગાયા માતાઓ ને બે ટેમ્પો નીરોચારો આપવામાં આવેલ. જુદા-જુદા ૩ વિસ્તારોમાં ગાયા માતાઓને નિરણ અપાયું હતું. વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, નીરવ મોતા, સલીમ લોટા તથા કાર્યકરોએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજની વિવિધ હોસ્પીટલોમાં દાખલ દર્દીઓ તથા તેમની સાથે સારવાર કરાવા આવેલા સગા-સબંધી-સ્નેહીઓને દરરોજ બપોર- સાંજ બે ટાઇમ ભોજન પહોંચાડવામાં આવે છે. જે તે હોસ્પીટલનાં ગેટ સુધી જઇ દર્દીઓનાં સગાઓને બોલાવી તેમની જરૂરિયાત મુજબ ભોજન આપવામાં આવે છે. જેથી દર્દીઓ તથા તેમના સગા- સબંધીઓ રાહતની લાગણી અનુભવે છે. અત્યારે જુદી-જુદી હોસ્પીટલોમાં દર્દીઓ […]
જય ઓધવરામની કૃપાથી ભુજ શહેરનાં જેષ્ઠાનગરનાં ભાનુશાલી ફળિયાની ભાનુશાલી બહેનોએ ૧ હજાર ઘઉંની તૈયાર રોટલી માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં અમાસનાં દિવસે અનેક ગરીબો સુધી આ રોટલીઓ પહોંચી હતી. ભાનુશાલી મહાજન અને યુવક મંડળ ભુજ દ્વારા પણ માનવજ્યોત સંસ્થાને તૈયાર ફુડ પેકેટસ આપવામાં આવે છે. ભુજનાં ન્યુ લોટસ મહિલા મંડળનાં બહેનોએ પણ પોત પોતાનાં ઘરે રોટલી […]
ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદોને તૈયાર અને તાજું ભોજન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેમનાં ઘર સુધી જઇ પીરસવામાં આવે છે. આ કાર્યને આગળ ધપાવવા જુદા-જુદા ગામો, સંસ્થાઓ, લોકો માનવજ્યોતને મદદરૂપ બની રહ્યા છે. એક ગામ કે એક વિસ્તારમાંથી તૈયાર ભોજન બનાવી આપવાનું પૂરૂં થાય ત્યાં બીજા ગામ કે અન્ય વિસ્તારોમાંથી લોકો આગળ આવે છે. અને […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા પ્રિન્સપલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ શ્રી આઇ.ડી.પટેલ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સચિવ શ્રી બી.એન.પટેલનાં માર્ગદર્શન હેઠળ ૩૧ જરૂરતમંદ મહિલાઓને રાશનકીટ અર્પણ કરાઇ હતી. વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટીયેર પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ સંભાળી હતી.