છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ખુલ્લામાં પડ્યા રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ નજાય તેવા હેતુ સાથે ભુજની જાગૃત સંસ્થા માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો હતો. સખત ઠંડી વચ્ચે ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદોને માનવજ્યોત સંસ્થા દ્વારા ધાબડા અર્પણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું છે. દાતાશ્રી કે.જે. શાહ – નિવૃત્ત […]
Category Archives: પ્રવૃત્તિઓ
નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવાયું હતું. સંસ્થાનાં કુલસુમબેન સમા, નુરજહાંબેન સુમરા, ખતીજાબેન સમા સહિત મંડળનાં બહેનો તથા સમાજનાં યુવા અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કોમી-એકતા અને ભાઇચારા સાથે દરેક સમાજનાં ભાઈ-બહેનો આશ્રમ સ્થળે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવતા રહે છે. જેથી […]
મધ્યપ્રદેશનાં સાગર જીલ્લાનાં શાહગઢ વિસ્તારનો કમલકિશોર યાદવ ઉ.વ. ૩૧ અચાનક ગુમ થતાં પરિવારજનોએતેની સતત શોધ ચલાવી હતી. તે અન્ય રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ ભારે મુશ્કેલી વેઠી નિરાશ થયા હતા. ચાર વર્ષ પછી તે તા. ૨૨-૧૨-૨૦૨૨ નાં કચ્છનાં દેશલપર કંઠી ગામથી નરેન્દ્રસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને મળી આવતાં તેમણે તેને માનવજ્યોત સંસ્થા ભુજ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માનવસેવા- જીવદયાનાં કાર્યો સાથે કરવામાં આવી હતી. માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા નિરાધાર વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોને ભોજન, ભૂખ્યાને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ, કીડીયોને કીડીયારૂં જેવી પ્રવૃત્તિઓ સાથે મકરસંક્રાંતિ પર્વ ઉજવાયો હતો. પવિત્ર મકરસંક્રાંતિ […]
મકરસંક્રાંતિ દિને ઠેર-ઠેર ઉધિયું વધી પડ્યા હોવાનાં ફોન માનવજ્યોત સંસ્થાને આવતાં સંસ્થાએ વાહન દ્વારા જે તે સ્થળે જઇ વાસણોમાં ઉધિયું એકઠું કર્યું હતું. ૪૫૦ કિલો વધી પડેલું ઉધિયું ગરીબો અને જરૂરતમંદોના ઝૂંપડે-ઝુંપડે પહોંચ્યું હતું. જેથી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા અનેક પરિવારોએ ઉધિયાનો સ્વાદ માણી ઉતરાયણ પર્વ ખુશી સાથે મનાવ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પ્રતાપ ઠક્કર, અક્ષય […]
મકરસંક્રાંતિ પર્વ પૂર્વે રોટરી કલબ ફલેમિગો ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ ભગવતી વિદ્યાધામનાં બાળકશ્રમયોગીઓ અને રંક બાળકોને પતંગ-ફીરકી-શેરડી-બોર-લાડુ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રોટરી ફલેમીંગો પ્રમુખ વિનોદભાઇ ચૌહાણ, મંત્રી જયંતિલાલ વાઘેલા, પ્રતાપભાઇ આશર, વિનાયક માંડલીયા, મિલીન્દભાઇ વૈદ્ય, જ્યોતિભાઇ ધોળકિયા, તૃપ્તીબેન ઠક્કર, કમલાબેન ઠક્કર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ફલેમીંગો પ્રમુખ […]
વર્ધમાનનગર ઓનર્સ એસો. દ્વારા પ્રમુખ શ્રી રાહુલભાઈ મહેતાનાં અધ્યક્ષ સ્થાને જનરલ સભા, પરિવાર પરિચય બુકનું વિમોચન તથા બુકનાં દાતાશ્રીઓના સન્માન સહિતનાં વિવિધ કાર્યક્રમો વર્ધમાનનગર મધ્યે યોજાયા હતા. મંગલાચરણ બાદ દિપપ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવોના વરદ્ હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમનું મુખ્ય અતિથિવિશેષ પદ જીલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઇ છાંગા, […]
મહારાવ પ્રાગમલજી અને પ્રિતિદેવી ફાઉન્ડેશન મુંબઇ હસ્તે મહારાણી પ્રિતિદેવીજી સાહેબા દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્યો માટે રૂા. ૫ લાખનું અનુદાન અપાયું છે. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબ પણ માનવજયોતની પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને પોતાનાં જન્મદિને સંસ્થાને અનુદાન આપતા રહ્યા હતા. અને સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા રહ્યા હતા. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજંસહ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસક્રાંતિ દિવસે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાશે. દર વર્ષે સંસ્થા દ્વારા મકરસક્રાંતિ દિને સેવા કાર્યો કરાય છે. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ અને રંક બાળકોને ભોજન, પક્ષીઓને ચણ, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઇ વિવિધ દાતાશ્રીઓએ સેવાયજ્ઞ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો. સ્નેહ અર્થ યોગ ટ્રસ્ટ મેધપર દ્વારા રૂ।. ૨૫ હજાર, ઇકોનોમિક ટ્રાન્સપોર્ટ સર્વિસ-માધાપર હાઇવે ભુજ દ્વારા રૂા.૧૫ હજાર, બારોટ ગોવિંદભાઇ અમદાવાદ દ્વારા ૩૯ હજાર, દિવ્યાબેન શીવજીભાઈ વાઘજીયાણી દ્વારા રૂા. ૨૦ હજારનું અનુદાન અપાયું છે. સંસ્થાનાં શ્રી […]