કચ્છનાં પૂર્વ સાંસદ સ્વ. મહિપતરાય મહેતાનાં પુત્ર દીપકભાઇ મહેતાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કરશન ભાનુશાલી, નીતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કરે અંજલિ અર્પણ કરી હતી.
Category Archives: પ્રવૃત્તિઓ
ઓરિસ્સા રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભાવાંજલિ અર્પણ કરાઇ હતી. દર્દનાક ટ્રેન અકસ્માત અંગે ઉંડો ખેદ વ્યક્ત કરવામાં આવેલ. અકસ્માતમાં મૃત્યુ પામનારા પ્રવાસીઓને પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, કરશન ભાનુશાલી, નીતીન ઠક્કર, મુરજીભાઇ ઠક્કરે અંજલિ અર્પણ કરી […]
પર્યાવરણની જાળવણીરૂપે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ- પાલારા-કચ્છનાં પ્રાંગણમાં વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સેક્રેટરી ડીએલએસએ અને ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ-ભુજ શ્રી આર.બી. સોલંકી સાહેબ, એડીશનલ સિવિલ જજ શ્રી નિખિલ અગ્રવાલ, એડીશનલ જજ શ્રી એમ.એસ. ગેલોડ, એડીશનલ જજ […]
છત્તીસગઢનાં મહાસમુંદર વિસ્તારની મહિલા ઉ.વ. ૩૫ માનસિક સમતુલા ગુમાવતાં અચાનક ઘર છોડ્યું હતું. અને જુદા- જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી. આખરે દોઢ મહિનાં પહેલા તે મોરબીનાં યદુનંદન સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. જ્યાં કાનજીભાઇ તથા આશ્રમ સ્ટાફે તેની સારી સારવાર કરી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા મોરબી આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે તેડી […]
જુની રાલવાડી મધ્યે આવેલ પિંગ્લેશ્વર મહાદેવ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ચકલીઘર-કુંડા-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ બળબળતા તાપમાં અબોલા અને તરસ્યા પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા, તેમજ ચકલીઓ માટે રહેવા ચકલીઘરની દરેક ઘરે વ્યવસ્થા કરી જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય સ્વહસ્તે કરવા સમજ આપી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત […]
ભુજનાં વોર્ડ નં. ૩ માં આવેલ વાસફોડા વાસ પાસે આવેલા વાદીવાસમાં રહેતા ભીખાભાઇ લક્ષ્મણભાઇ વાદી ઉંમર વર્ષ ૪૦નું તા. ૧૯-૫ નાં રાત્રે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. તેનાં પરિવારમાં તેની છ નાની દીકરીઓ, ૧ દિકરો અને પત્ની મળી ૮ સભ્યો છે. પરિવારનાં આધાર સ્થંભ સમાન પતિનું મૃત્યુ થતાં પત્નીએ પતિ ગુમાવ્યો છે જ્યારે ૭ નાના […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માનવસેવા,જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી ૪૯ જેટલી પ્રવૃત્તિઓ કચ્છભરમાં ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓને અનુલક્ષીને અનુભવાયેલી સાચી સ્ટોરીઓનું એક પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૧ અનુભવાયેલી સાચી સ્ટોરીઓ મુકવામાં આવી છે. ગુમ થયેલા અને મળી આવેલા લોકોની સ્ટોરીઓ, કોરોનાં કાળમાં થયેલા અનુભવો, માનસિક દિવ્યાંગોનું […]
ભુજ શહેર પુનિતવન નજીક આવેલ સિલ્વર પાર્કનાં શ્રી જલારામ મંદિરેથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર- કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભે મહેમાનોનું સ્વાગત શ્રી મહેશભાઇ ઠક્કરે કર્યું હતું. પ્રબોધ મનુવરે માનવજ્યોતની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે તેવા ઉદ્દેશ સાથે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું […]
વ્યાયામશાળા ભુજ મધ્યે આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરેથી શિવશક્તિ મહિલા મંડળનાં સહકારથી માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્રારંભેદમયંતીબેન સાગરપોત્રા, માયાબેન ભાટી, ભાનુબેન ભાનુશાલી, દક્ષાબેન શર્મા, દમયંતિબેન ગોહિલ, વસંતબા જાડેજા, રમાબેન ભાનુશાલી, ક્રિષ્નાબા જાડેજા તથા મંડળનાં સર્વે બહેનોએ ભજન-કિર્તન રજુ કરેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટીએ સંસ્થાની ચાલી […]
મધ્યપ્રદેશનાં વિદિશા જીલ્લાનાં કાશીરામ ખેડા ગામની મહિલા ઉ.વ. ૪૦૭ વર્ષ પહેલાં ગુમ થઇ હતી. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતી-ભટકતી રહી હતી. ત્યાર બાદ તે અચાનક કચ્છનાં માનકુવા ગામેથી મળી આવી હતી. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી માનસિક આરોગ્યની હોસ્પીટલભુજનાં મનોચિકિત્સક ડૉકટરથી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી. આશ્રમના […]