Category Archives: પ્રવૃત્તિઓ

દિવ્યાંગ નકુલ દેવ પાંચ વર્ષ પછી ઘરે પહોંચ્યો

બિહારનાં લખીસરાય વિસ્તારનાં લખનાં ગામનો ૪૦ વર્ષિય યુવાન નકુલ દેવ પાંચ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેને શોધવા તનતોડ મહેનત કરી હતી. પણ એનો કોઈ અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ સારી સેવા કરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ […]

વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નવા વર્ષના પ્રારંભે છ વિધવા બહેનોને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા હતા. કાર્યક્રમનું અતિથિ પદ ડો. પ્રતિક્ષાબેન પવાર, મીનાબેન ભદ્રા, ઇલાબેન વૈષ્ણવે શોભાવ્યું હતું. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરીષ મહેતા-વર્ધમાનનગર દ્વારા ૪, શ્રીમતિ રશ્મીબેન અનીલભાઈ મહેતા- વર્ધમાનનગર દ્વારા -૧ તથા શ્રીમતિ નિર્મલાબેન પદમશી […]

જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અઢી હજાર ગરીબોએ ખીચડી, કઢી, રોટલા,ગોળનું ભોજન ભરપેટ જમી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, અક્ષય મોતા, દીપેશ શાહ, રાજુ જોગી, રસીક જોગી, સલીમ […]

દિપાવલી દિને ૧૦૧ બાળકોને નવા સુટ પહેરાવાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા ૧૦૧ પરિવારોનાં બાળકોને દિપાવલીદિને નવા સુટ પહેરાવાયા હતા. નાના ભૂલકાંઓ અને બાળકો એ ખુશી વ્યક્ત કરી દિપાવલી અને નવા વર્ષની ઉજવણીમાં જોડાયા હતા. આ બાળકોને કિશોરસિંહ દાનુભા જાડેજા ખેડોઇ હાલે ભુજનાં સહયોગથી મિષ્ટાન-ફરસાણનાં બોક્ષ અર્પણ કરાયા હતા. માનવજ્યોત દ્વારા શહેરનાં જુદા-જુદાં વિસ્તારોમાં […]

ગરીબો પણ દિપાવલીની ઉજવણીમાં જોડાયા મિઠાઇ-પેકેટો અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ પરિવારોને અડધો કિલો મીઠાઇના પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. કેમ્પ એરીયાના સાંઈ બાબા મંદિરેથી આ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ. મુખ્ય દાતા કરમણભાઇ જીવાભાઇ ડાંગર, રાણાભાઇ રવાભાઇ ડાંગર-ધાણેટી, ઉમિયા એગ્રો સેન્ટર-ભુજ, નાસા એકસોપર્ટ- રાજકોટ, દેવ્યાનીબેન સુરેશભાઇ દવે-માધાપર, પ્રેમીલાબેન […]

૧૦૦ પરિવારોને રાશનકીટ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભૂંગા-ઝુંપડા અને કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ ૧૦૦ પરિવારોને દશ કિલો ઘઉં લોટ, પાંચ કિલો બાજરો, પાંચ કિલો ચોખા, બે કિલો મગફાડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતાં આવા ગરીબ પરિવારોએ ખુશી વ્યકત કરી હતી. આવા પરિવારો દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે, પર્વ આનંદ-ઉલ્લાસપૂર્વક માણી શકે તેવા હેતુ સાથે […]

વિદેશ સ્થિત દાતાશ્રીએ વિવિધ સંસ્થાઓના સ્ટાફને રોકડ-મીઠાઇ-ફરસાણ અર્પણ કર્યા

યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઇ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની વિવિધ સંસ્થાઓનાં સ્ટાફ- કર્મચારીઓને રોકડ-મીઠાઇ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડા કવર, અડધો કિલો કાજુ કતરી તથા અડધો કિલો ફરસાણ અર્પણ કરાયું હતું. વ્યવસ્થા […]

બાળકોમાં સેવાનાં સિંચનનું કાર્ય અનુમોદનીય દેસાઇ સ્કુલનાં બાળકોની અનોખી પહેલ

ભુજનાં હોસ્પીટલ રોડ મધ્યે આવેલ દેસાઇ એકાદમી (દેસાઇ સ્કુલ) નાં બાળકોએ પોતાનાં ઘરમાં રહેલી વધારાની વસ્તુઓ કપડા, પાઠ્યપુસ્તકો એકઠા કરી સ્કુલ મધ્યે લાવી શાળા પરિવારની ઉપસ્થિતિમાં ભુજની માનવજ્યોત સંસ્થાને અર્પણ કર્યા હતા. સંસ્થા આ એકઠી થયેલી દરેક વસ્તુઓ જરૂરતમંદ બાળકો સુધી પહોંચાડશે. શાળા પરિવારનાં મીનાબેન દેસાઇનાં માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષીકાગણના પ્રતિક્ષાબેન દેસાઇ, ધ્વનીબેન દેસાઇ, સ્વાતિબેન […]

એકલા-અટુલા-નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડિલોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન

શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ ભુજ વિસ્તારના એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઇ નથી… બીજા ઉપર પરાધીન છે… એકલા અટુલા નિરાધાર છે. બિમાર છે. પથારી ઉપર છે… ચાલી શક્તા નથી… ઘરથી બહારે નીકળી […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રીપ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાંવિતરણ કરવામાં આવશે. ૧૦૦પરિવારોને રાશનકીટ અર્પણ કરવામાં […]