Category Archives: પ્રવૃત્તિઓ

રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો કચ્છ પહોંચે ત્યારે આ તેમનું છેલ્લું સ્ટેશન

દેશભરમાંથી કચ્છ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગો પોતાનું ઘર સુધી પહોંચી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજની સક્રિયતાના કારણે દેશભરમાંથી રખડી-ભટકી ભુજ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા તેમનાં ઘર સુધી પહોંચાડે છે. વર્ષોથી રખડી-ભટકી રહેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો જયારે ભુજ આવી પહોંચે ત્યારે આ તેનું છેલ્લું સ્ટેશન બની રહે છે. માનવજ્યોત સંસ્થા તેમનું ઘર-પરિવાર શોધી આપી […]

દિલ્હીનો ગુમ યુવાન 6 વર્ષ પછી મળી આવ્યો૮૫ વર્ષીય પિતાએ ભુજ આવી પુત્રનો કબ્જો લીધો

દિલ્હી (ઇસ્ટ) નો યુવાન દિપકકુમાર પ્રેમદાસ ઉ.વ. 30 છવર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી. માનવજ્યોતનાં સામાજિક […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેમાનસિક દિવ્યાંગો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગો જ્યારે માનવજ્યોત સંસ્થા સુધી પહોંચે છે ત્યારે સેવાશ્રમ સ્થળે આવા માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે. માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને દરરોજ યોગા કરાવવામાં આવે છે. ટી.વી.નાં સારા-સારા કાર્યક્રમો બતાવવામાં […]

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીનાં પ્રતિનિધિઓએ માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનાં પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળે ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓ નજરે નિહાળી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અમેરિકાથી આવેલા ડોકટર રેબકા, ડોકટર એણેટ તથા કચ્છનાં વિદેશ રહેતા દાનવીર દાતા અને શ્રેષ્ઠીવર્ય શ્રી રમેશભાઇ મગનલાલ દેઢીયાના સુપુત્રી નિશાબેન દેઢીયાએ સંસ્થાની મુલાકાત લીધી હતી. […]

પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૬૬ ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ. […]

આઠ બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ તાજા જન્મેલા બે મૃત બાળકોની પણ અંતિમવિધિ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ આઠ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. આઠ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, હિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠી, રફીકબાવાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, માધાપર […]

માનવજ્યોત સંસ્થા ભુજનાં સફળ પ્રયત્નોથીવધુ ત્રણ માનસિક દિવ્યાંગોને ઘર-પરિવાર મળ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને તેમનાં રાજ્ય,શહેર,ગામ, ઘર પરિવાર શોધી આપવામાં આવે છે. અત્યાર સુધી 3200 થી વધુ માનસિક દિવ્યાંગોને ફરીવાર પોતાનું ઘર અને પરિવાર મળ્યા છે. વિરમગામનાં અપનાઘર આશ્રમેથી આવેલ રંગબહાદુર ઉ.વ. 40 રોતાસ બિહાર, બયંતસિંઘ ઉ.વ. 45 ગંગાનગર રાજસ્થાનને તેમના પરિવાર સાથે ફેરમિલન […]

જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અઢી હજાર ગરીબોએ ખીચડી, કઢી, રોટલા, ગોળનું ભોજન ભરપેટ જમી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. ભુજ લોહાણા મહાજનશ્રી દ્વારા તથા ભુજ રવાણી ફળીયા જલારામ મંદિર દ્વારા માનવજ્યોત […]

વિદેશ સ્થિત દાતાશ્રીએ વિવિધ સંસ્થાઓનાસ્ટાફને રોકડ-મીઠાઇ-ફરસાણ અર્પણ કર્યા

યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાનાં સ્ટાફ-કર્મચારીઓને રોકડ-મીઠાઈ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતાશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડાકવર, એક કિલો મીકસ મીઠાઇ તથા સવા કિલો ફરસાણ અર્પણ કરાયું હતું. આજ દાતાશ્રી દ્વારા […]