શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢ
લાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી માનવસેવા અને જીવદયાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની નોંધ લઈ શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોતને અન્નદાન અર્પણ કરાયું હતું. માનવજ્યોત વતી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, કરશનભાઈ ભાનુશાલીએ
આભાર માન્યો હતો.

હરિદ્વાર આશ્રમનાં પૂ. હરિદાસજી મારાજ, ભાવેશ મારાજ, મેનેજીંગ ટ્રસ્ટી તથા કારભારી પઠાઈભાઈ ભાનુશાલી તેમજ દેવલમાં સમિતિ તથા પાલારા રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનાં વસંતભાઈ અજાણી તથા જીવદયા પ્રેમી અરવિંદભાઈ ગોરનાં સહકારથી માનવજ્યોત સંસ્થા તથા શ્રી રામરોટી કેન્દ્ર ભુજને અન્નદાન અપાયું હતું. શ્રી રામરોટી કેન્દ્ર ભુજને રૂા. ચાલીસ હજારનું અન્નદાન અપાયું હતું. સંસ્થાનાં શ્રી લીલાધરભાઈ ઠક્કર તથા ભરતભાઈ માહેશ્વરીએ સંસ્થાનો આભાર માન્યો હતો.
દેવલમા જીવદયા સત્સંગ સમિતિને રૂા. અગીયાર હજારનું અન્નદાન અપાયું હતું.