દશેરા પર્વે 101 ગરીબ પરિવારોનેમીઠાઇનાં પેકેટો અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લંડન સ્થિત એક દાતાશ્રીનાં સહયોગથી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા 101 ગરીબ પરિવારોને અડધા-અડધા કિલોના મીઠાઇનાં પેકેટો અર્પણ કરવામાં આવતાં આવા પરિવારો પણ દશેરા પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને અનેરી ખુશી વ્યક્ત કરી હતી.

પ્રબોધ મુનવર, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કર, દિપેશ ભાટીયા, રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી.