માનવજ્યોત, માનસિક આરોગ્યની હોસ્પીટલ તથા સખી વન સ્ટોપ ભુજ ત્રણે સંસ્થાઓનાં પ્રયત્નોથી છ મહિનાથી પતિ-પત્નીનાં ઝઘડાના કારણે ઘર છોડનાર પત્નીનું પતિ-પુત્ર સાથે સમાધાન સાથે ફેરમિલન કરાવાયું હતું.
ઉત્તરપ્રદેશનાં આગ્રામંડલ વિસ્તારનાં કેશપુરા ગામની યુવાન મહિલા ઉ.વ. 22 ઘર કંકાસને કારણે ઘર છોડયું હતું. અને રખડતી-ભટકતી રહી હતી. સખી વન સ્ટોપને મળતા તેઓ તેને આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર શરુ કરાવી. તે જલ્દી સ્વસ્થ બની હતી.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા. માત્ર પાંચ વર્ષનો બાળક તથા 26 વર્ષિય તેનો પતિ તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. છ મહિનાથી ગુમ માતાને જોઇ પાંચ વર્ષિય બાળક ચોધાર આંસુએ રડી માતાને ભેટી પડ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ પતિ- પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરાવી આપેલ.
આખરે યુવાન મહિલા પોતાનાં ઘર સુધી પહોંચતા પરિવારમાં ફરી નવી ચેતનાઓ સાથે પતિ-પત્નીએ સાથે રહેવાનો એકબીજાને કોલ આપ્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટીયા, રફીક બાવા સહયોગી
બન્યા હતા.