ભુજ તાલુકાનાં નારાણપર ગામે દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયાનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રાધા કૃષ્ણ ચોક મધ્યે 400 કુંડા, 400 ચકલીઘર તથા જીવદયા સ્ટીકરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગામનાં અમૃતબેન ભુડિયા સહિતનાં આગેવાનો જોડાયા હતા.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. નારાણપર આખા ગામમાં કુંડા-ચકલીઘર લટકતા થયા હતા. લોકો જીવદયાની આ પ્રવૃત્તિમાં સામેથી જોડાયા હતા.