માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટ સંસ્થાની ૪ મંદબુદ્ધિ મહિલાઓને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેમની સારવાર શરૂ કરવામાં આવી. ઘર શોધવાનાં ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા. આ ચારે મહિલાઓ આંધ્રપ્રદેશ, તેલંગના રાજ્યોની હોતાં ત્યાંની પોલીસ અને સંસ્થાની મદદ લેવામાં આવી. છેલ્લે હૈદ્રાબાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી નિવાસ રેડ્ડીનો ફોનથી સંપર્ક કરવામાં આવ્યો. તેમણે આ કેસમાં ખૂબ જ રસ દાખવ્યો. માત્ર એકજ ફોનથી સંપૂર્ણ વિગતો સમજી આ રાજયોની ૪ મહિલાઓને મદદરૂપ બનવાનું નક્કી કર્યું. અને શહેરની મહિલા સુરક્ષા વિભાગ પાંખને આ ચારે મહિલાઓને ભુજનાં આશ્રમમાંથી લઇ આવવાની જવાબદારી સોંપી. પત્રકારો એન.સત્યવતી ગીતા તથા બાગાબથુલા સત્યવતી પણ હૈદ્રાબાદથી સાથે ભુજ આવ્યા હતા. એડિશનલ સીપી એ.વી. રંગનાથ તથા એડિશનલ ડીસીપી કવિતાનાં માર્ગદર્શન હેઠળ સર્વે વિગતો તૈયાર કરવામાં આવી. આ મહિલાઓનું ઘર નમળે ત્યાં સુધી તેને હૈદ્રાબાદની ‘‘સયોધ્યા હોમ ફોર વુમન ઇન નીડ’’ સંસ્થામાં રાખવાનું નક્કી થયું.
હૈદ્રાબાદની ટીમ કચ્છ ભુજ સુધી પહોંચી માનવજ્યોત સંસ્થામાંથી આ ચારે મહિલાઓનો કબ્જો લીધો હતો. પોતાનાં વતન સુધી પહોંચેલ આ મહિલાઓ પોતાનાં ઘર સુધી પહોંચશે. હૈદ્રાબાદ પોલીસ કમિશ્નર શ્રી કોઠાકોટા શ્રી નિવાસ રેડ્ડીએજણાવ્યું હતું કે, તેમનાં સંબંધીઓને શોધી કઢાશે અને વહેલી તકે તેઓ તેમનાં સ્થાને પહોંચશે. માનવજ્યોતના પ્રયત્નો સફળથયા. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રીતુબેન વર્મા તથા માનવજ્યોતની સમગ્ર ટીમે સહકારઆપ્યો હતો.