અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની માનવજ્યોત દ્વારા ઉજવણી કરાઇ

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે અનેરી ઉજવણી કરવામાં આવેલ.

માનસિક દિવ્યાંગો હાથમાં ભગવો ઝંડો લઇ હોંશે હોંશે રાસ રમ્યા હતા. અને ભગવાનશ્રી રામની જય જયકાર બોલાવી હતી. જયશ્રી મહાકાલ ગ્રુપ ભુજનાં યુવાનોએ આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોને બાઈક રેલીમાં જોડી રાસ રમાડયા હતા. કેસરીરંગના એક સરખા વસ્ત્રોમાં સજજ માનસિક દિવ્યાંગો પણ ઉજવણીમાં જોડાયા હતા.

આશ્રમનાં માનસિક દિવ્યાંગોને જય શ્રી મહાકાલ ગ્રુપ-ભુજ, દર્શનાબેન ધર્મેન્દ્ર બારમેડા, શાંતિલાલ પૂંજા લીંબાણી- માનકુવા દ્વારા ભોજન જમાડવામાં આવેલ. જયારે એકલા અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન ભુજ સ્વામિનારાયણ મંદિર તથા કબીર મંદિનાં સહકારથી આપવામાં આવેલ.

વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, માવજીભાઇ આહિર, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, રીતુબેન વર્મા વિગેરેએ સંભાળી હતી.