ઉત્તરપ્રદેશનો યુવાન ૩ વર્ષ ઘરે પહોંચ્યો પરિવારજનો સાથે થયું ફેર મિલન

ઉત્તરપ્રદેશનાં લલીતપુર વિસ્તારનાં મામોરી ગામનો ૩0 વર્ષિય યુવાન રાજારામ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. ખૂબ જ શોધખોળ પછી પણ તેનો અતો-પતો નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા.

અનેક રાજ્યોનાં શહેરો-ગામડાઓમાંથી થઈ તે અચાનક સોમનાથનાં “નિરાધારનો આધાર,, સંસ્થામાં પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની-સારી સારવાર કરી. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી ઉત્તરપ્રદેશ પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા.

સમાચાર પ્રાપ્ત થતાં જ તેનાં પિતા અને તેનાં બનેવી ભુજ આવી પહોંચ્યા હતા. અશ્રુભીની આંખે પિતા-પુત્રનું મિલન થયું હતું. તેનાં પિતાનાં જણાવ્યા મુજબ તેની પત્ની, બે બાળકી, એક બાળક તેની ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે. તે મળી આવતાં પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ જામ્યો હતો. આખરે તે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દીપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.