માનવજ્યોત ભુજને ૪ લાખનું અનુદાન અપાયું

મહારાવશ્રી પ્રાગમલજી અને પ્રિતિદેવી ફાઉન્ડેશન મુંબઇ હસ્તે મહારાણી પ્રિતિદેવીજી સાહેબા દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્યો માટે રૂા. ૪ લાખનું અનુદાન અપાયું છે.

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબ પણ માનવજ્યોતની પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને પોતાનાં જન્મદિને સંસ્થાને અનુદાન આપતા રહ્યા હતા. અને સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા રહ્યા હતા.

સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ફાઉન્ડેશન તથા મહારાણી પ્રિતિદેવીજી સાહેબા અને રવિન્દ્રભાઈ સંઘવી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.