રાજસ્થાનનાં અજમેર જીલ્લાનો યુવાન બલવીર પુંજ ભમરૂ ઉ.વ. ૨૧ ગુમ થતાં પરિવારજનો રડી-રડી દિવસો પસાર કરી રહ્યા હતા. તેને શોધવા પરિવારનાં દરેક સભ્યો જ્યાં સમાચાર પ્રાપ્ત થાય ત્યાં પહોંચી જઈ તેની શોધ ચલાવતા. બે વર્ષ આમજ વિત્યા. પરિવાર વેર-વિખેર થઈ ગયો.
બે વર્ષ પછી તે રખડતો-ભટકતો સોમનાથનાં “નિરાધારનો આધાર” આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની સારી સારવાર કરાવી હતી. માનવજયોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે તેડી આવ્યા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે આશ્રય આપ્યું.
રાજસ્થાન પોલીસની મદદ લઈ તેનું ઘર શોધવામાં સફળતા મળી. તેનાં માતા-પિતા અને ભાઈ ત્રણે ભુજ આવી પહોંચ્યા. બે વર્ષ પછી બલવીરનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા. પરિવારની મુશ્કેલીઓનો અંત આવ્યો. વેર-વિખરે થયેલો પરિવાર ફરી એક થયો. પરિવારમાં ખુશી છવાઇ ગઇ.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.