વેસ્ટબંગાલનો ગુમ યુવાન ૪ વર્ષ પછી ઘરે પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ

વેસ્ટબંગાલનાં મેહજાપુર વિસ્તારનો યુવાન શેખ અમીરૂલઅલી ઉ.વ. ૨૭ ગુમ થતાં પરિવારજનોએ તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સોમનાથના “નિરાધારનો આધાર,, આશ્રમમાં પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સરભરા સાથે સેવાઓ કરી.

માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમેથી તેને ભુજ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવ્યા. વેસ્ટબંગાલ પોલીસ ખૂબ જ મદદરૂપ બનતાં તેનું ઘર અને પરિવાર શોધવામાં સફળતા કો મળી તેનાં પિતા મૃત્યુ પામ્યા હોવાથી તેનાં ભાઈ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. ચાર વર્ષ પછી પરિવારની ગુમ વ્યક્તિ મળી આવતાં પરિવારજનો એ ખુશી વ્યક્ત કરી હતી.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, દિપેશ ભાટીયા, પ્રતાપ ઠક્કર, કિશોરસિંહ જાડેજા સહભાગી બન્યા હતા.