માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભૂંગા-ઝુંપડા અને કાચા મકાનોમાં રહેતા જરૂરતમંદ ૧૦૦ પરિવારોને દશ કિલો ઘઉં લોટ, પાંચ કિલો બાજરો, પાંચ કિલો ચોખા, બે કિલો મગફાડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતાં આવા ગરીબ પરિવારોએ ખુશી વ્યકત કરી હતી.
આવા પરિવારો દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે, પર્વ આનંદ-ઉલ્લાસપૂર્વક માણી શકે તેવા હેતુ સાથે આવા પરિવારોને
રાશનકીટો અર્પણ કરાઇ હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રાજુ જોગી, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી.