આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાની લક્ષ્મીકલાવંતી ઉ.વ. ૨૪ ગુમ થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો ખૂબ જ દુઃખી હતા. યુવાન દીકરીનું હવે શું થાશે તેની ચિંતામાં પરિવારજનો બેચેન બન્યા હતા.
આંધ્રપ્રદેશ થી ટ્રેન મારફતે તે ગુજરાતમાં પહોંચી હતી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ મધ્યે આશ્રય મેળવ્યું હતું. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને બાયડથી ભુજ લઇ આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરવામાં આવી. તે સ્વસ્થ બનતાં આંધ્રપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું પરિવાર શોધી કાઢવામાં આવ્યું. સમાચાર મળતાં જ પરિવારજનો ભુજ દોડી આવ્યા. પિતા-પુત્રીનું મિલન થયું. આંધ્રપ્રદેશ પોલીસે યુવતીનો કબ્જો લીધો હતો. દીકરી હેમખેમ મળી આવતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, અક્ષય મોતા, પ્રતાપ ઠક્કર સહભાગી બન્યા હતા.