કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતદેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફ૨સાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ.
ભુજ શહેર ભાજપ આગેવાનો શ્રી બાલકૃષ્ણ મોતા, જયદિપસિંહ જાડેજા, અશોકભાઇ હાથી, રાજેન્દ્રસિંહ જાડેજા, જયંત ઠક્કર, હિરેન રાઠોડ, નિકુલ ગોર, આશિકાબેન ભટ્ટ તથા સર્વે કાર્યકરોએ ઉપસ્થિત રહી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, રીતુબેન વર્મા, કીરીટસિંહ જાડેજાએ વડાપ્રધાનશ્રીનાં જન્મદિને ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.