ઉનાળાનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને અન્ય ગામડાઓમાં પક્ષીઓનાં પાણી પીવાનાં કુંડા અને માટીનાં રૂપકડા ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ભુજ શહેર પ્રમુખ સ્વામીનગર સામે આવેલ ઓધવપાર્ક-૩ મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે મહિલા સંસ્થાનાં દરેક બહેનોને કુંડા તથા ચકલીઘરોનું વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે પૂજાબેન અયાચી, રાખીબેન અંજારિયા, કલ્પનાબેન ચોથાણી, કપીલાબેન જેઠવા, ગીતાબેન પટેલ, હીનાબેન, કોકીલાબેન, જીજ્ઞાબેન, વર્ષાબેન, રક્ષાબેન, સીવાનીબેન, લીનાબેન તથા સંસ્થાનાં સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પૂજાબેન અયાચીએ જીવદયાનાં આ કાર્યની બહેનોને સમજપૂરી પાડી હતી. તેમજ તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળશે તેમજ ચકલીઓને રહેવા ઘર મળી રહેશે તેવું જણાવ્યું હતું.