માનવજ્યોત દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

ઉનાળાનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને અન્ય ગામડાઓમાં પક્ષીઓનાં પાણી પીવાનાં કુંડા અને માટીનાં રૂપકડા ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ભુજ શહેર પ્રમુખ સ્વામીનગર સામે આવેલ ઓધવપાર્ક-૩ મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ મિલેસૂર હમારા વુમન્સ કરાઓકે મહિલા સંસ્થાનાં દરેક બહેનોને કુંડા તથા ચકલીઘરોનું વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે પૂજાબેન અયાચી, રાખીબેન અંજારિયા, કલ્પનાબેન ચોથાણી, કપીલાબેન જેઠવા, ગીતાબેન પટેલ, હીનાબેન, કોકીલાબેન, જીજ્ઞાબેન, વર્ષાબેન, રક્ષાબેન, સીવાનીબેન, લીનાબેન તથા સંસ્થાનાં સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પૂજાબેન અયાચીએ જીવદયાનાં આ કાર્યની બહેનોને સમજપૂરી પાડી હતી. તેમજ તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળશે તેમજ ચકલીઓને રહેવા ઘર મળી રહેશે તેવું જણાવ્યું હતું.