મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાનાં જન્મદિને જરૂરતમંદોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબનો જન્મદિન વિવિધ સેવાકાર્યો સાથે ઉજવાયો હતો. કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાનો સહકાર મળ્યો હતો.

૫૦ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન – ફરસાણ સાથે ભોજન કરાવાયું હતું. તેમજ એકલા – અટુલા – નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ટીફીન દ્વારા ઘેરબેઠા મિષ્ટાન – ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું.

વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહેદવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોનીએ સંભાળી હતી.