ઉનાળાનાં બળ-બળતા તાપમાં બાળકોને નવા પગરખા અપાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા જે બાળકોનાં પગમાં પગરખા નથી તેવા ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારોનાં બાળકોને બળ- બળતા તાપમાં નવા પગરખા અપાયા હતા. અને સખત ગરમી અને ગરમ તાપ સામે રક્ષણ અપાયું હતું. જુદા-જુદા વિસ્તારોમાં જઇ શોધી-શોધી પગરખા વિહોણા બાળકોને નવા પગરખા પહેરાવાયા હતા.

વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, રફીક બાવા, પંકજ કુરવા સાથે રહી સહકાર આપ્યો હતો.