લાખોંદ રોડનાં આશાપુરા કોલોની બસ સ્ટેશન પાસે આવેલા શ્રી રામદેવપીર મંદિર મધ્યે પૂજારી કાપડી દાદાના માર્ગદર્શન હેઠળ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. અહીં જરૂરતમંદ લોકો માટે દરરોજ ૨૦૦ જણાની રસોઇ તૈયાર કરી વિતરણ માટે માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવે છે. આ ભોજન જરૂરતમંદો સુધી પહોંચતા તેમનો જઠારાગ્ન ઠરે છે. આજુ-બાજુનાં વિસ્તારનાં ભાઇ-બહેનો અહીં સેવાઓ આપી રહ્યા છે.