જરૂરતમંદ લોકોને રાશનકીટ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મસ્કત-ઓમાન સ્થિત દાતાશ્રી રામજીભાઇ કાનજી હીરાણી, દેવશીંભાઇ પરબત હીરાણી તથા જાદવજીભાઇ ગોવિંદ વરસાણી ભારાસર દ્વારા તૈયાર મળેલ ૫૦૦ કીટોનું ઝુંપડા-ભૂંગાઓમાં રહેતા ગરીબ પરિવારોનાં ઘર સુધી જઇ વિતરણ કરવામાં આવેલ.

સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ૫૦ રાશન કીટ, ભાવનાબેન ધનજીભાઇ વરસાણી માધાપર દ્વારા ૧૦૦ રાશનકીટ, લાલજી મેઘજી વેકરીયા બળદીયા દ્વારા ૨૫૦ કીટ, જશુબેન દેવજી પટેલ બળદીયા દ્વારા ૧૦૦ કીટ, અશોકસિંહ ભગુભા વાઘેલા ભુજ દ્વારા ૧૦૦ કીટ, કુસુમ મંગલ ચત્રભોજ ચોથાણી ૪૦ કીટ, જૈન મેડીકલ એન્ડ એજ્યુ ટ્રસ્ટ, માતૃછાયા કન્યા વિદ્યાલય, સર્વમંગલ આરોગ્ય ધામ ભુજ દ્વારા મળેલ ૧૦૦ કીટ જરૂરતમંદ લોકોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવેલ.

રાશનકીટ વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, શંભુભાઇ જાષી, રાજુ જાગી, ઇરફાન લાખાએ સંભાળી હતી.