મહારાજા સહ્યાજીરાવ યુનિવર્સીટી ઓફ બોર્ડ દ્વારા નેશનલ યુથ કોન્ફરન્સ મહારાજા સહ્યાજીરાવ યુનિવર્સીટી વડોદરા મધ્યે યોજાઇ હતી. ત્રિદિવસીય કોન્ફરન્સમાં રાજ્યસભાનાં સભ્ય ડો. વિનય સહસરાબુદ્ધે, નેશનલ ઉર્દુ યુનિવર્સીટીનાં પૂર્વ ચાન્સલર જાફર સરેસવાલા, ડો. અજય રણકા, કેરાલાનાં રાજ્યપાલ શ્રી આરીફ મોહમદખાન, ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી શ્રી રામમાધવ, સુપ્રિમ કોર્ટના એડવોકેટ શ્રી જે. સાંઇ દિપક, શ્રી ગુરૂપ્રકાશ, શ્રી સુદર્શન રામવર્ધન, શ્રી વિનય પતરાલે, પ્રો. યોગેશસિંધ, પ્રો. રાજેન્દ્ર શુકલા, સહિતનાં આગેવાનોએ ઉપસ્થિત રહી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
એવોર્ડ ઓફ “હમ મેઇન હીરો” યુગાન્તર એવોર્ડ-૨૦૨૦ માટે દેશભરમાંથી ૧૦૦૦ નામો આવ્યા હતા. દેશભરમાંથી જે પૈકી ૩૩ ની પસંદગી કરવામાં આવી હતી. ભુજ અને કચ્છમાં માનવસેવા, જીવદયા અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરનાર અબડાસાનાં કોઠારા ગામનાં હાલે વર્ધમાનનગર મધ્યે રહેતા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ આ એવોર્ડ માટે ૧૧ માં નંબરે પસંદગી થઇ હતી. અને તેમની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ.
તેમને યુગાન્તર એવોર્ડ-૨૦૨૦ થી સન્માનિત કરી પ્રમાણપત્ર તથા મોમેન્ટો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા વિવિધ રાજ્યોની યુનિવર્સીટીઓના ૭૦૦ વિદ્યાર્થી ભાઇ-બહેનો તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.