માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં માનવસેવા અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લા ૧૫ વર્ષથી થઇ રહેલ છે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, શ્રી રામકથા સમિતિ દ્વારા અહિંસાધામ નંદી સરોવર મધ્યે શ્રી રામકથાનાં છઠ્ઠા દિવસે સાંજે કચ્છ-ગુજરાતની વિવિધ સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવેલ. પ.પૂ. સંત શ્રી મોરારીબાપુની ઉપÂસ્થતિમાં દરેક કાર્યકરોને તેમનાં વરદ્ હસ્તે સાલ તેમજ મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ. મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક સંસ્થાને અનુદાન આપવામાં આવેલ.
માનવજ્યોત ભુજનાં શ્રી પ્રબોધ મુનવર તથા માનવમિત્ર વલ્લભજીભાઇ ડી. શાહને પૂ. મોરારીબાપુએ સાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અહિંસાધામનાં રમેશભાઇ ગાલા, મહેન્દ્રભાઇ સંગોઇ તથા ટ્રસ્ટી ગણ ઉપÂસ્થત રહ્યા હતા. વ્યવસ્થામાં માનવજ્યોત મુંબઇનાં શ્રી કુલીનભાઇ લુઠીયા સહભાગી બન્યા હતા.