શ્રી કચ્છી દસા ઓશવાળ જૈન સમાજ ની એક અદ્ભુત સંગીતકલા “પંખાવાજ” આજે પણ લોકપ્રિય રહી છે. વિસર્તી આ સંગિતકલા ને આજે પણ સમાજવાસીઓ એ જીવંત રાખી છે.
કચ્છી દસા ઓશવાળ જૈન સમાજની વિવિધ ગામો – સહેરો ની પંખાવાજ મંડળી ઓ એ તેરા ગામે રાતભર રમઝટ જમાવી હતી. પ્રાચીન પંખાવાજ સત્વોની ગાયકી જોવા ગામો ગામના સમાજ વાસીઓ તેરા મધ્યે ઉમટી પડ્યા હતા. મુખ્ય આયોજક શ્રી સાંતિલાલ કે. લોડાયા ,ચંદ્રકાંત ખોના , જયંત પટેલ તથા ક.દ.ઓ. વડોદરા મહાજન આ આયોજન માટે લાંબા સમય થી સર્વે ને એક મંચ ઉપર એકઠા કરવાની પ્રશંસનિય કામગીરી કરી હતી.જેને સફળતા મળી હતી. પ્રારંભે સૌનું ભાવભર્યું સવાગત શ્રી એસ.કે.લોડાયાએ કર્યું હતું.ચંદ્રકાંત ખોના એ વર્ષો જૂની પરંપરા જાળવી રાખનાર પંખવાજ મંડળો ના સર્વે સભ્યોને ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અંતરજાળ તેરા કોઠારા નલિયા સુથરી જખૌ સાયરા વડોદરા તથા અન્ય ગામો ની પંખાવાજ મંડળીઓ એ ત્રણ ત્રણ પંખાવાજ સ્ત્વો રજું કરી તબલાં હરનોનિયમ અને જંજા વાજિંત્રો વચ્ચે રમજટ જમાવી, સૌને આન દિત કર્યા હતા. આ કાર્યક્રમ નજરે નિહાળવા વિશાળ સંખ્યા માં ભાઈ – બહેનો ઉપસ્થિત હતા. મુંબઈ મહાજન શ્રી અઘ્યક્ષ ગોવિંદજી ભાઈ રતાણી, નરશી ભાઈ લોડાયા તથા સમાજ નાં આગેવાનો એ ઉપસ્થિત રહી પ્રોતસાહન પૂરું પાડ્યું હતું. મયુરભાઈ ની આગેવાની હેઠળ અંતરજાળ નાવાયુવકો એ પંખાવાજ સંગીત કલાને ટકાવી રાખવા આ સંગીત કળામાં ભારે રસ દાખવ્યો હતો.
૮૭ વર્ષ ના કોઠારા નાં હીરાલાલ ભાઈ જીવાણી ને પંખાવાજ સ્તવન ગાઈ સૌને ખુશ કર્યા હતા. તો ગોવાથી ભરતભાઇ દંડ ખાસ પધાર્યા હતા.ગોવા મા મહિલા પંખાવાજ ટીમતૈયાર થૈ છે. જેમણે તાજેતર માં મુંબઇ કાર્યક્ર્મ માં ભાગ લીધો હતો.
શ્રી પ્રોબોધ મુનવરે આયોજકો નાં આયોજન ને બિરદાવી અભિનંદન પાઠવી દર વર્ષે આવું આયોજન જુદા – જુદા ગામો માં કરવા સૂચવ્યું હતું. કાર્યક્રમ ના અંતે વડોદરા અને તેરા મહાજન સૌ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ એ પણ કાર્યક્ર્મ ના અંત સુધી રસ દાખવ્યો હતો.