શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ક્ષેત્રપાળદાદાની પ્રતિષ્ઠા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ક્ષેત્રપાળ દાદાની પ્રતિષ્ઠા સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, જ્યાબેન મુનવરનાં વરદ્‌ હસ્તે કરવામાં આવી હતી.

શ્રી રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રવિણ ભદ્રા, ગુલાબ મોતા, મુરજીભાઇ ઠક્કર, જેરામભાઇ સુતાર તથા માનસિક દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.

વિશાળ પ્રાંગણમાં વાજતે-ગાજતે ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ક્ષેત્રપાળ દાદા નવનિર્મિત ડેરીમાં બિરાજમાન થયા હતા. સાસ્ત્રોક્રત વિધિ વિધાન નારાયણસરોવરનાં દિપક મહારાજે કરાવી હતી. આ પ્રસંગે માતાનામઢનાં શ્રી જમનાદાસભાઇ માહેશ્વરીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી શંભુભાઇ જાષીએ જ્યારે આભારવિધિ ગુલાબ મોતાએ કરેલ. વ્યવસ્થામાં વાલજી કોલી, મહેશભાઇ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.