શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને સ્વ હસ્તે ભોજન જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. સ્વજનોના શ્રાદ્ધ નિમિત્તે રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન- ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવે છે.

સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ નિયમિત નાખી કિડીયારો પણ પૂરવામાં આવે છે.

શ્રાદ્ધ પ્રસંગે આવા પુણ્યનાં કાર્યો કરવા ઇચ્છુક દાતાશ્રીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ ફોન ઃ ૨૨૪૦૦૦ અથવા પ્રબોધ મુનવર મો. ૯૯૨૫૧૬૯૮૭૬ તથા સુરેશભાઇ માહેશ્વરી મો. ૯૮૨૪૬૯૧૧૧૪ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.