ઉત્તરપ્રદેશનાં લખનૌ જિલ્લાનાં ઇટાવા ગામનો યુવાન અનુજ ચંદ્રપ્રકાશ સકસેના ૬ વર્ષે ઘરે પહોંચતાં પરિવારજનોની લાંબા સમયની આતુરતાનો અંત આવતાં ખુશી સાથે હૃદય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા.
માનવજ્યોતને ખાવડા પોલીસે ડીસેમ્બર માસમાં સોંપેલ યુવન અનુજ ઉ.વ. ૨૧ સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યો છે. માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે સ્વચ્છ બન્યો હતો. સંસ્થાનાં મેનેજર શ્રી ગુલાબભાઇ મોતાએ તેની પાસેથી માહિતી મેળવી હતી. તેને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવ્યો. અને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતે તેને તેનાં ઘર સુધી પહોંચાડતા તેનાં આગમનની રાહ જાઇ બેઠેલા પરિવારજનોએ ખુશી તો વ્યક્ત કરી હતી. પણ આખો પરિવાર ચોધાર આંસુએ રડયો હતો. પરિવાર સાથે મિલનનું અંતર ૬ વર્ષનું થઇ જતાં પરિવારે અશ્રુઓનો ધોધ વહેવડાવ્યો હતો. દરેક પરિવારે તેને ગલે લગાડી અશ્રુભીની આંખે ખુશી વ્યક્ત કરી હતી. પરિવારજનોએ શ્રદ્ધા ફાઉન્ડેશન તથા માનવજ્યોત ભુજનો આભાર માન્યો હતો.
માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, મહેશ ઠક્કર, વાલજી કોલી, દિપક લોડાયા, મનીષ મારાજ સહભાગી બન્યા હતા.