માતૃછાયા કન્યા વિધાલયમાં વિશ્વચકલી દિવસ ઉજવાયો

૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસની પૂર્વ સંધ્યાએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ મધ્યે શાળાનાં પ્રિન્સીપાલ શ્રી સુહાસબેન તન્ના ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ વિશ્વચકલી દિવસની ઉજવણી કરાઇ હતી.

શાળાનાં સુપરવાઇઝર શ્રી હિમાન્જીભાઇ બારોટે સ્વાગત પ્રવચન કરી સૌને મીઠડો આવકાર આપ્યો હતો. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, માનવીએ પોતાની રહેવાની વ્યવસ્થા કરી લીધી પણ નાનકડા પક્ષી ચકલીની વ્યવસ્થા ન કરી. જેથી ચકલીઓ લુપ્ત થતી ગઇ છે.

માનવજ્યોતનું માટીનું રૂપકડું ચકલીઘર સાચા અર્થમાં ચકલીઓ મટે ઘર બની ચૂક્યું છે. દરેક લોકો પોતાના ઘરે કુંડા-ચકલીઘર અવશ્ય લટકાવે જેથી અબોલા પક્ષીઓને પીવા પાણી મળે. ચકલીઓને રહેવા ઘર મળે.

સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દોડી-દોડી અને ભાગ દોડ ભરી જીંદગીમાં અટવાઇ ચૂકેલો માનવી હવે ચકલીને શોધવા નીકળી પડ્યો છે. ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવીએ.

આ પ્રસંગે શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, નરશીભાઇ પટેલનાં વરદ્ હસ્તે વિદ્યાલયની બાળાઓને કુંડા-ચકલીઘર-જીવદયા સ્ટીકર તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. આભારવિધિ શ્રી ફતુભા જાડેજાએ કરેલ. વ્યવસ્થા માતૃછાયા કન્યા વિદ્યાલયનાં મનોજભાઇ મહેશ્વરી તથા ઉર્વીબેન સોનીએ સંભાળેલ.