પર્યાવરણની જાળવણીરૂપે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ- પાલારા-કચ્છનાં પ્રાંગણમાં વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સેક્રેટરી ડીએલએસએ અને ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ-ભુજ શ્રી આર.બી. સોલંકી સાહેબ, એડીશનલ સિવિલ જજ શ્રી નિખિલ અગ્રવાલ, એડીશનલ જજ શ્રી એમ.એસ. ગેલોડ, એડીશનલ જજ શ્રી બી.એન. ત્રિવેદીનાં વરદ્ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. પેરાલીગલ વોલીન્ટરો શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, માનવજ્યોતનાં શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, નીતીન ઠક્કર, પ્રવિણ ભદ્રા, જયંતસિંહ ચાવડા,સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સહિત સંસ્થાનાં કાર્યકરોએ વૃક્ષારોપણ કરેલ.
સચિવ શ્રી સોલંકી સાહેબે પર્યાવરણની સાચવણી ઉપર ખાસ ભાર મૂક્યો હતો. અને પ્લાસ્ટીકથી થતી ગંભીર અસરો નિવારવા સમજ પૂરી પાડી હતી. વ્યવસ્થામાં હેતભાઇ પરમાર તથા આશ્રમના સ્ટાફે સહકાર આપ્યો હતો.