કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભુજમાં માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો ભોજન, ૧૦૦ એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, તેમજ જરૂરતમંદ ગરીબોનાં ઝુંપડે જઈ ભૂખ્યાને ભોજન કરાવાઈ રહ્યું છે. દરરોજ તૈયાર રસોઈ બનાવી માનવજ્યોત સંસ્થાને આપવામાં આવે છે. સંસ્થા દ્વારા ભોજન વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રાજુ જોગી, રસીક જોગી, સંભાળી રહ્યા છે. મીરઝાપરનું કપીરાજ હનુમાન મંદિર માનવસેવાનું કેન્દ્ર બની ચૂક્યું છે. કોરોના સંકટ શરૂ થયું ત્યારથી આ મંદિર દ્વારા માનવસેવા અને જીવદયાનાં કાર્યો થઈ રહ્યા છે. પૂજારી હરસુખભાઈ તથા સર્વે કાર્યકરો માનવસેવાનાં કાર્યને આગળ ધપાવી રહ્યા છે. જેમાં વિવિધ દાતાશ્રીઓ સહયોગ પૂરો પાડી રહ્યા છે. તૈયાર રસોઈ બનાવી માનવજ્યોત સંસ્થાને વિતરણ માટે આપવામાં આવે છે. આ રસોઇથી અનેક ગરીબોનાં જઠરાગ્નિ ઠરી રહ્યા છે.