પશ્ચિમ બંગાળનાં વૃદ્ધનું ૧ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

પશ્ચિમ બંગાળનાં કાલીયાગંજ વિસ્તારનો મંગરૂપ્રસાદ માધુપ્રસાદ ઉ.વ. ૬૫ એક વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે ભુજથી કચ્છનાં ગામડાઓ સુધી પહોંચ્યો હતો. જાગૃત નાગરિકોએ તેને માનવજ્યોત કાર્યાલય ભુજ સુધી પહોંચાડ્યો હતો.

સિનિયર પેરાલીગ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખવામાં આવ્યો. ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે સ્વસ્થ બન્યો હતો. તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે સંસ્થાના મેનેજર શ્રી દિલીપભાઇ ભટ્ટે પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી તેનાં પરિવારજનોને જાણ કરી હતી. જમાઇ અજય દિવાકર તેનાં સસરાને લેવા ભુજ આવી પહોંચ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ઘરે તેની પત્ની તથા ચાર બાળકો તેની ઘરે આવવાની રાહ જાઇ બેઠા છે.

આખરે તે ઘર સુધી પહોંચતા પરિવારમાં આનંદ છવાયો હતો. માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિલીપ ભટ્ટ, વાલજી કોલી, વિનોદ મારાજ સહભાગી બન્યા હતા.